Wednesday, August 10, 2016

ગાય- મૌન તોડાવે અને મત અપાવે

                 કોઇ એમ કહે કે ગાય દૂધ આપે છે. સાચી વાત છે પણ હવે તો ગાય મત પણ અપાવે છે. ગાયના નામે ચાલતી તકરારના તણખા દેશની સાંસદમાં એવા થયા કે ગુજરાતમાં એક પોલિટિકલ ટુરની સિઝન આવી. નેતાઓ મફતમાં મત માંગી જાય છે અને લઇ જાય છે. પણ હવે તો ખાદીધારીઓ અને મફલરધારીઓ મફતમાં ચા પી જાય છે જો કે આપણા દેશમાં લુખ્ખેશ લોકોની કમી નથી. જ્યારે સત્તા અને સમય સાથ આપતો હોય ત્યારે ગાંડા પણ રાજા બની જાય એવામાં  જ્યારે સુટબુટવાળી સરકારને એક સપ્તાહના અંતે સમય મળે છે ગાયના વિવાદિત મુદ્દાને ઉકેલવાનો. પોતાના રાજકિય હિત માટે કંઇ પણ રીત લડી લેનારાઓ દિલાસો આપવા અને રોકડની લ્હાણી કરવા થનગનતા હોય છે પણ જેને આવી બદમાશી, લુચ્ચાઇ, લુખ્ખાગીરી અને રાક્ષસી વર્તન કર્યુ એના ડામ પર મીઠું તો છાંટો. કડક સજા અને ત્વરિત નિર્ણયથી બનેલી વસ્તુ ફરી થવાની નથી પણ પુનરાવર્તન ન થાય એ માટે પણ એક ઉદાહરણ જોઇએ. જીવનના વણાંકને સીધા કરવામાં જેટલો સમય વીતે છે. એટલો સમયે કોઇને સમજવામાં અને સમજાવવામાં પસાર થાય તો તીવ્રતા હળવી થઇ જાય. ઊનાકાંડ પર ચાબખા મારીને વહેતી ગંગાને ચાખનારા આસ્થા અને શ્રધ્ધાની વાત કરે ત્યારે નવાઇ લાગે.
               
         ઘટના બની જાય  અને દિવસો પસાર થતા પરિસ્થિતિ લીલની જેમ જામી જાય પછી એના પરથી કોઇ લપસે નહીં તે માટે 'લોકનેતા' 108ની જેમ દોડી આવે. બિચારી ગાયનો પ્રભાવ કંઇ ઓછો થોડી અંકાય? ગાયના છાણમાંથી ખાતર બને અને ખુરશી પણ જાય. મૌનપ્રિય પીએમ મોદીને પણ ઊનાની ઘટનાના 22 દિવસ બાદ ગોરક્ષોકોની ગુંડાગીરી સામે માત્ર આંખ લાલ કરવાનું યાદ આવે. આ મૌન તૂટે અને મામલો છૂટે.હ્દયની સાંત્વનાથી સંવાદ સુધીની ઘટના પાછળ વોટનો હેતુ સ્પષ્ટ છે. પક્ષ કોઇ પણ હોય આવો મુદ્દો પડતો ન જ મૂકાઇ. જેમ દેશમાં ઋતુચક્ર યથાવત છે  તેમ સમસ્યા અને સવાલોની પરંપરા કાયમી છે. દાદરીની ઘટનામાં પણ ગાયના માંસની વાત હતી. ઊનાની કહાનીમાં પણ ગાય હતી. વરસાદ ખેંચાતા ગાયના ઘાસચારા માટે પણ માછલા ધોવાય પણ હવે થોડું પ્રેક્ટિકલ જોઇએ. ચા-પાન અને રેંસ્ટોરના બિલ કાઉન્ટર પર ગાયની આકૃતિમાં બનેલી પીગી બેંક (જેમાં એકવાર પૈસા નાંખ્યા બાદ બાહર ન આવે) જેવી વસ્તુઓમાં ગાયપ્રેમીઓ પૈસા-રૂપિયા નાંખિને ગાયના નામે ગચ્છનતી થઇ જાય પણ શું ગાયનું પેટ રકમથી જ ભરાઇ? ગૌશાળાની પ્રવૃતિઓમાં આધુનિકતાની અગરબત્તીની સુવાંસ ફેલાવવાની જરૂર છે. વિદેશમાં કોઇ ગૌપ્રેમી નથી એવું નથી. જેમ માણસની સોસાયટી, માછલીઓ માટે પાણી, સરીશ્રૃપ માટે દર તો પછી ગાય માટે એક ઘર જોઇએ. શિસ્ત અને સંસ્કૃતિની વાત કરનારી સંસ્થાઓ ગાયના નામે મૂકાયેલી પીગીબેંકના નાણાનું શું થાય છે એની તપાસ તો કરો.


                       જો આટલી બધી સંખ્યામાં ઘણી બધી જગ્યાએ આવી બેંક મૂકવામાં આવી હોય તો, નાણાની સારી એવી આવક થતી હોય તો ગાય જીવે ત્યાં સુધી ભૂખે ન મરે એ વાત સ્વીકારવી પડે. પરંતુ કોઇ પણ સંસ્થાએ 'વહીવટ' કરવો પડે. કોહવાઇ ગયેલી ગાયના નિકાલ માટે થતી પ્રવૃતિમાં વટ પાડનારા ભડવીરોને રોકવા જોઇએ. જેથી આવું જોખમ ભરેલું કામ કરનારાને કોઇ માર ન પડે. ભુંડ જેવી માનસિકતામાંથી જીવદયાના બિઝનેસમેન ગાય માટે વૈજ્ઞાનિક અભિગમ વિચારે. કોઇ પણ કોન્સેપને અપનાવવામાં આપણે એટલું મોડું કરીએ છીએ કે સમયના વિલંબમાં આખો દરિયો સમાય જાય. વાતમાંથી વિવાદ થતા વાર નથી લાગતી. ગાયના માંસને લઇને કેન્દ્રમાં સળગેલા મુ્દ્દાને ગુજરાતે ઇંધણ પુરુ પાડ્યું. જેનાથી નેતાઓના વિમાન ગુજરાત બાજું ઊડ્યા. દેશભરમાં ગૌરક્ષાની પ્રવૃતિ ચલાવી રહેલા નરવીરો મોટાભાગે કોઇ દળ અને પરિષદના વતની હોય છે. ચૂંટણીમા ચટણી મળે તે માટે ઉમેદવારોની જીત માટે જીતની હાંકલ કરનારાઓ પણ આવા નવરેશ હોય છે. લુખ્ખાનું લુખ્ખેશ અેમ નવરાનું નવરેશ. ખરેખર તો ગાયના નામે રાજનીતિ અને ગૌરક્ષાના નામે ભાયગીરી બંધ થવી જોઇએ. અંતે મરો તો આમ જનતાનો થાય છે. જશખાટું જભ્ભાધારી અને કોટીધારી મામલાના ઘીને વાઢીમાં નાંખીને વાહ....વાહ... કરાવી જાય છે. જેની અસર અર્થતંત્રને થાય છે. વર્ષોથી સંપીને જીવનારી, 'ડર્ટી જોબ'ને પણ દિલથી કરનારી પ્રજાના કામને કોઇ દુશાસને ડહોળી નાંખી. સમાજમાં થતા પાર્ટીશન અંતે નેતાઓને નડવાના.

          ગાય અંગેની માન્યતાઓના સુંડલા ભરાય એટલી વાતો છે. કેટલાક વૈજ્ઞાનિક તથ્ય અને વૈશ્ર્વિક સત્ય પર એક નજર કરીએ. સ્વિત્ઝરલેન્ડમાંથી છપ્પનની છાતીથી કાળુંનાણું લાવવાની વાત કરનારાને કદાચ ખ્યાલ નહીં હોય કે સ્વિત્ઝરલેન્ડનું રાષ્ટ્રિય પ્રાણી ગાય છે. જ્યાં સો ટકા ગાયનું દૂધ (પાણી જવું નહીં) પીવાય છે. ગાય માટે એક આખું ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે જે મુખ્ય સિટીની બાહર છે જેથી શહેરમાં ગાયના પોંદરાની ખુશ્બુ ન આવે. સમગ્ર યુરોપમાં ગાયનું દૂધ પીવાય છે. ડેનમાર્કમાં સૌથી વધુ દૂધની આઇટમ બને છે. આપણા દેશના સ્વીટ હાઉસ જેવા ઉત્પાદન નહીં. પોલીથીનમાં દૂધ માત્ર ભારતમાં જ મળે છે. લંડનમાં દૂઘની ગુણવત્તા પર સરકાર મહોર મારે પછી જ વેંચી શકાય છે. અમેરિકામાં દૂધની બનાવટને ફરજિયાત ત્યાંની ફુડલેબનું પ્રમાણપત્ર લેવું પડે છે. ગાયના નામે ચરી ખાવાના બદલે આ દેશની કક્ષા સુઘી પહોંચીએ તો પણ સારૂ. હકિકતમાં દેશની અબુધ પ્રજાને ડોબા નેતાઓ કરતા સારા શિક્ષકની જરૂર છે

Sunday, August 07, 2016

કડવાશને ક્રેશ કરીને હળવાશ આપે તે મિત્ર

                 માણસના જીવનમાં વ્યવહારની સાયકલ અને વિશ્ર્વાસની બોટ કાયમ આગળ ચાલતી હોય છે સમુદાયમાં શ્ર્વાસ લેતો માણસ પોતાની ઉત્પતીથી સંગાથમાં રહેવા ઘડાયેલો છે. આદમ અને ઇવ બે જીવ. પછીથી સમાજના વિશાળવર્ગની રચનામાં એકથી વધુ અને વધુમાં એક એવા સંબંધોના શ્રીગણેશ થયા. બે વ્યક્તિ વચ્ચેના બોલવા-બોલાવવા, ખાવા-ખવડાવવા અને લેવા લઇ જવાના પરસ્પરના પૂલને ઘણા સંબંધના ટેગ લાગ્યા. પણ ઇલેક્ટ્રિકના વાયર અને ઉપકરણમાં અર્થિગ આવેને ટેસ્ટરમાં લાઇટ થાય એમ વર્ષો બાદ જેને જોઇને મળીને અને ભેંટીને એમ થાય કે યાર મોજ પડી ગઇ તે મિત્ર. મિત્રતાના સંબંધની ધણી ખરી દ્રશ્ટિને શબ્દો મળ્યા છે ત્યારે તેને ચોક્કસ અને બીબાંઢાળ વ્યાખ્યામાં બાંધી ન શકાય. છતાય ઇન્ટરનેટના વિશાળ દરિયામાંથી ગળે ઉતરે અને પચી પણ જાય તેવા ક્વોટની શ્રેણીમાંથી કેટલીક ચૂંટી કાઢેલી લાઇન્સ. મિત્ર એટલે જેને વારંવાર મળવાનું મન થાય, મિત્ર એટલે જે તમને જોઇને સૌથી વધુ ખુશ થાય, તમારી સફળતામાં સમસ્યા ઊભી કરવાના બદલે સામેથી સેલ્યુટ કરે, ઇર્ષા કરવાના બદલે આલિંગન આપીને સમજાવે, તમારી સાથે વિડીયો ગેમ કે અન્ય રમત રમે પણ તમારી પાછળ કે ઉપર ક્યારેય રમત ન રમે.
                   શાળામાં યુનિફોર્મની ચડ્ડી પહેરીને રિસેસમાં એકબીજાના ડબ્બામાંથી મન ભાવતો નાસ્તો બુકડાભરીને ખાવાનો આનંદ હતો જે આજે કોર્પોરેટ કંપનીની કેંટિગમાં સાથી મિત્રના ટિફિનમાં "થોડું વધારે લાવજે" એમ કહીને સંતોષ માનવો પડે. વાણી અને વર્તનથી પરખાતો માણસ તદ્દન વિરુધ્ધ સ્વભાવના વ્યક્તિની જિંદગી સાથે જોડાઇને જીવન વીતાવે છે એટલે દોસ્તી લગ્નજીવનમાં પણ હોય છે સપ્તપદીના વચનો પૈકીનું એક 'સપ્તમે સખા ભવ' મારા મત પ્રમાણે આ વચનને સૌથી પહેલા સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. કારણ કે વિજાતીય જીવ સાથે આકર્ષણની પ્રથમ ઇંટ તો મૈત્રી જ હોય છે ને? કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેના સંવાદમાં દ્રૌપદી કેશવ સામે હળવી થતી જણાય છે. મુક્તમને વાસુદેવના ચિત પર વિશ્ર્વાસના કાગળ મૌનની ભાષામાં લખે છે સામા પક્ષે શ્રેષ્ઠસારથી સંયમ જાળવીને અને લાજ સાચવીને સ્વરૂપ બદલીને સાથ નિભાવે છે. આ સંસ્કાર આપણને શાસ્ત્રો શીખવી ગયા. પરંતુ, આગળીના ટેરવાથી મોબાઇલની બારીમાં ફસાયેલી આજની પેઢિ જેમ દરિયામાં મરજીવા મોતી શોધે તેમ તક શોધવામાં મચી પડી છે. ઘણા ઉપરી અધિકારીઓ જાહેરમાં દોસ્ત કહીને પાછળથી પોતાની જ ટીમના ખેલાડીઓ સાથે પક્ષપાતી વલણ દાખવતા હોય છે જેની ગંધ બીજાને નથી આવતી પણ આગ જે તે વ્યક્તિને દઝાડે છે. અહીં વાત એક કોંન્ટ્રાંસની છે બાકી લાગણીના ખોટા વજનીયાથી હાથ મિલાવતા અને કાયમ તર્ક સાથે આગળ વધતા લોકો કાયમ અંદરથી એકલા જ હોય છે.

           દુનિયાદારીનું ભાન થાય અને જવાબદારીનો ભારો આવે એટલે મેચ્યોર થઇ જવાય અને સમય સાથે થવું પણ જોઇએ. આ મેચ્યોરિટીમાં મજા કરાવે તે સાચો મિત્ર. મિત્ર શબ્દ પહેલા 'સાચો' એટલા માટે લખવું પડે છે કારણે ખોટાનું તો મફતમાં માર્કેટિંગ થાય છે. યારીને ફોરવર્ડ કરીને પોતાની સાથે નવી કડી જોડવા કરતા શાળાની રિસેસમાં મળતા મિત્રોની ટીમમાંથી દરેકનો મેળો ન કરી શકાય? ટુંકમાં ગેટ ટું ગેધર.60ની બાજુ ઢળતી ઉમરે સમજણા થયા ત્યારનો એક મિત્ર મળે તો નસીબદાર કહેવાઓ. જરૂર બસ એક ટેકાની હોય છે. ક્યારેક હું પણાને મજબુત કરવામાં મિત્રતા તૂટતી હોય છે જેનું ભાન ત્યારે જ થાય છે જ્યારે અરમાનોના કાચ પર ગોફણરૂપી ઠોકર લાગે. કોઇ પણ ફ્રેન્ડશીપની ઇફેક્ટ કરતા ઇમ્પેક્ટ મહત્વની છે જેની દુંનિયા નોંધ લે છે, ગુગલના નામથી આજે કોઇ અજાણ નથી. તેના સ્થાપક લેરી પેજ અને સર્જી બીન બંન્ને ખાસ મિત્રો. અલીબાબાડોટકોમ ચીનનું પ્રખ્યાત વેબ પોર્ટલ. આ સાઇટના સ્થાપક એટલા જેકમા. આ બંદાએ પોતાના ચાર મિત્રો સાથે મળીને આ વેબસાઇટ બનાવી. જેકમાની એક ખાસ વાત નોંધવા જેવી છે કે આ વેબસાઇટ નાણા વગરના નાથિયા કહેવાતા મિત્રોએ તૈયાર કરી છે આજે કલાકમાં કરોડોની કમાણી કરે છે. વોટ્સએપ કોણ નથી વાપરતુ?? આ ટચુકડી પણ લોકોને ઘેલા કરતી એપ્સના પાયામાં પણ બે મિ્ત્રો છે. જેન કોઉમ અને બ્રિયાન એક્ટન. રિસેશન (છટણી)નો શિકાર બનેલા આ  બે મિત્રો પાસે એક વર્ષ સુધી કોઇ કામ ન હતુ,

                      એક એવી કંપનીમાંથી છુટા પડ્યા જેને સાબિત કર્યુ કે ચતુર કાગડો ઉકરડામાં બેસે. એ કંપની એટલે યાહું. જે તાજેતરમાં વેંચાઇ ગઇ. એસ્સારથી કોણ અજાણ હશે? એસ એટલે શશિન રુહિયા અને આર એટલે રવિ રૂહિયા. ભાઇઓ કરતા મિત્રો વધુ ગાઢ અને બેસ્ટ. એપલના આઇફોન પાછળ ગાંડી 'તિતલીઓ'ને કદાય ખબર નહીં હોય કે અડધા ખાધેલા સફરજન પાછળ બે ભેજા છે. આમ તો ચાર કહી શકાય કારણ કે એક માણસના બે મગજ હોય ને? સ્ટિવ જોબ અને સ્ટિવ વુઝનેક. ડિઝનીલેન્ડ વન્ડર પાર્ક બે મિત્રોના દિમાંગની પેદાઇશ છે. વોલ્ટ ડિઝની અને રોય હાર્લિ ડેવિડસન ગ્લેમર અને રોડ પર વટ પાડતા બાઇક હાર્લી વિલિયમ અને અર્થુર ડેવિડસનના સ્માર્ટ માઇન્ડની ઉપજ છે. બંન્ને બાળપણના પાક્કા ભાઇબંધ. એચપી કંપનીની કેટલી પ્રોડક્ટ માર્કેટમાં છે અને તમને કેટલી યાદ છે.? બનાવો લીસ્ટ. પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, પ્રોસેસર....બિલ હેવલેટ અને દેવ પાકર્ડ આ બંન્ને મિત્રોએ દુનિયાને એક એવી વસ્તું આપી જેમાં કરોડો રૂપિયાનો ડેટા અહીંથી ત્યાં વગર વીજળીએ કે બેટરીએ ફેરવી શકાય. પેન ડ્રાઇવ તેનું છેલ્લું ઉત્પાદન પણ જાણીને નવાઇ લાગશે કે આ બંન્ને ભેજાઓએ મળીને એક ઓડિયો ડીવાઇસ બનાવ્યું હતુ જેને ખરિદનાર પ્રથમ ગ્રાહક વોલ્ટ ડિઝની હતા. શોક લાગ્યો ને. આવી યાદી ઘણી લાંબી છે બીજી વાર વાત

Wednesday, August 03, 2016

વિદાય કાયમ વસમી જ રહેવાની


                કોઇ પણ વસ્તુ હોય કે વ્યક્તિ તેની એક અવધી નિશ્ચિત હોય છે. સિમકાર્ડમાં બેલેન્સ અને બેલેન્સના કાર્ડની પણ એક વેલિડિટી હોય છે. આ વેલિડિટી પહેલા છોડી દેવામાં આવતી પ્રવૃતિને નિવૃતિનું નામ આપવામાં આવ્યુ છે. રાજકિય ક્ષેત્રે મસમોટી પ્રતિભાને પણ પડકારમાંથી પાસ થવુ પડે. રાજ્યના વાતાવરણમાં ભલે ટાઢક થઇ ગઇ હોય પણ રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ગરમાવો વધતો જાય છે. એવામાં સીએમ આનંદીબેન પટેલના રાજીનામાથી ઉષ્ણાતામાન એટલું વધ્યુ કે તેની વસમી વરાળ ભરચોમાસે દિલ્લી સુધી પહોંચી ગઇ. ઓગષ્ટ મહિનાના પ્રથમ દિવસના 24 કલાકને અધૂરા રાખીને બેન હવે 'ઓફિશ્યલ' રિટાયર્ડ થયા છે. સમય સાંજનો હતો પણ પક્ષમાં અમાસની રાત હોય તેવો માહોલ હતો. ધણા સમયથી બેનની વિદાય અપેક્ષિત  ચર્ચાતી પણ એકાએક થઇ જતા રાજકીય ધરા ઘ્રુજી  ઊઠી છે. જો કે આ બાબતે સંકેતો હતો પણ સ્પષ્ટીકરણ અને સત્તાવાર જાહેરાત બેને ડીજીટલ ઇન્ડિયાને ટેકો આપતા હોય એમ કરી.
             
        ગુજરાતના પ્રથમ મહિલા સીએમ ફેસબુક પરથી રાજીનામુ આપનાર પણ પ્રથમ સીએમ રહ્યા. વિદાય વેળાએ પોતાની ઉમરનો હવાલો નાંખીને પોતાનો સંદેશો આપ્યો. આ સમગ્ર ઘટના વચ્ચે શાંતિની અપીલ કરતી ચેનલો સંયમ જાળવવામાં સફળ ન થઇ. ટીવી ચેનલો વચ્ચે પહેલા હું, પહેલા હું અને જાણે રેટ રેસ થઇ હોય એવો માહોલ જોવા મળ્યો. વિદાયમાં પણ ચેનલોનું એગ્રેશન? વિચારવા જેવો વિષય છે. રાજીનામા પાછળના પરિબળોમાં અનેક મુદ્દાઓની હારમાળા અને નિર્ણય લેવામાં બેનની ખરડાયેલી છબીની સાથોસાથ નીડર નેતૃત્વનું પાસુ પણ કેન્દ્ર સ્થાને રહ્યું. ઇતિહાસના પાનાઓને જોડીએ ત્યારે સરદાર પટેલને બાદ કરતા કોઇ પાટીદાર મુખ્યમંત્રીનો નેતૃત્વકાળ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો નથી.ચીમનભાઇ પટેલ, બાબુભાઇ, કેશુબાપા અને આનંદીબેન આ તમામ લોકોએ સત્તાને અધવચ્ચેથી છોડી દીધી. પરંતુ, બેનના કાર્યકાળમાં કૌભાંડ, તોફાન અને આંદોલનના લીધે તેઓ વિશાળ વર્ગ વચ્ચે વડોખાયા તેમજ તરછોડાયા. આ ઘટનાઓની અપાર તીવ્રતાના લીધે સીએમના શ્રેષ્ઠ પર્ફોમન્સ પર વિરોધનું મેલું પાણી ફરી ગયું. જેના લીધે પ્રજાલક્ષી વિકાસની સુંવાસ મર્યાદિત બગીચા સુધી જ રહી.

               ભાજપની માતૃસંસ્થાની વિચારધારા  ધરાવતા નેતાઓની અસરથી એકસુત્રતા લાવવા પ્રદેશ પ્રમુખની વરણી થઇ. શાસકપક્ષમાં આતરિક વિખવાદ અને વણસેલા સંબંધોની વણઝાર બહુ જૂની છે. વાસ્તવિકતા એ પણ છે કે વ્યક્તિની 'લોબી'ઓના લોબિંગની રેસમાં આનંદ હણાયો. જૂથવાદ, ટીમવર્ક અને ગમા અણગમા વચ્ચે માનસિક શાંતિનો ભોગ લેવાયો આ વાત નક્કી થઇ ગઇ. આ ઉપરાંત પક્ષને વિજયરેખા સુધી પહોંચાડનાર વર્ગે બેન માટે મુંઝવણ અને મુશ્કેલીના પથ્થરોનો એવો મજબુત સેતું બાંધ્યો કે જે અંતે વિદાયના દ્વારે ખુલ્યો. મહિલ સશક્તિકરણ, બાળ કલ્યાણ, મા અમૃતમ યોજના, 50 ટકા મહિલા અનામત, મેટ્રો રેલ પ્રોજેક્ટ, આંગણવાડી મહિલા કલ્યાણ યોજના, આવાસ યોજના અને નર્મદા નીરને સૌરાષ્ટ્ર સુધી વહેતી કરતી યોજનાઓમાં બેનની કામગીરીની ભાગ્યે જ નોંધ લેવાઇ. જે ખરેખર પ્રશંનીય હતા.

                સતત અને સખત તુલનાઓના તીરથી બેનનું શાસન વિધાંતુ રહ્યું,. જ્યારે વિપક્ષને ક્રિકેટ જેવડું મેદાન મળ્યું. વિધાનસભા 2017માં કમળની પીએમના ઘરમાં શાખ સાચવવા હવે શું? બાજ નજરે વિહંગાવલોકન કરીએ ત્યારે હવે પડકાર મોટા અને સમય ઓછો જેવી રેતઘડી ચાલવા નહીં પણ દોડવા માંડી છે. હવે એક તરફ યુપી અને બીજી તરફ ગુજરાત, એકમાં ગઢ બનાવવાનો અને બીજામાં ન માત્ર સાચવવાની પણ  મજબુત કરવાની કવાયત. ચોતરફ વિકાસની વાવણીમાં ડહોળાયેલી શાંતિથી ખટપટની બીયારણનું વાવેતર થયું હવે કોણ? અને હવે શું? વચ્ચે પ્રથમ પ્રજા પક્ષ અને પરિણામલક્ષી પગલા સરળ તો નથી જ. લાંબા સમયની અટકળોના અંતથી લોઢા જેવી બનેલી સ્થિતિના ચણા ચાવવા જ નહી પણ સારી રીતે પચાવવા પડશે. જેમાં જેટ વિમાનની ગતિએ જીતનો જલસો નહી થાય. કારણ કે સમાજ અને વોટ રાજનેતાની કેરિયર બનાવી શકે અથવા બગાડી પણ શકે. આ રાજકીય સ્ટંટનો અવસર નથી સાથે અંગતહિતની બાદબાકી પણ નથી. તેમજ મોજના ફુવારા ફૂંટે એવો સંજોગ પણ નથી. આંતરિક સંકલન, સંચાલન  અને મુલ્યાંકન નવા આવનારા મુખ્ય પદાધિકારીની પરિક્ષા કરશે. ચોમાસું ખેંચાતા કિસાનોને તૃપ્તિ મળે અને પ્રજાને હાશકારો થાય એવા બે મુદ્દાને હાથમાં લેનારાએ ભુતકાળની હસ્તરેખાને જોઇને ચાલવું પડશે, નારાજગીથી અને રસ હોવા છતા પ્રગટેલી નીરસતાની સપાટી ઉપસી આવી. ગુજરાતમાં અત્યારે ભલે રંગ બદલાય પણ જંગ 2017માં થશે. મતયુધ્ધમાં મુખ્યમંત્રીનું ટયુનિંગ અને રેપો કામ કરવો જોઇએ જે આનંદીબેનમાં ક્યારેય જોવા ન મળ્યું. 

Wednesday, July 27, 2016

માર્કસ તો એક ચોક્કસ વિષયમાં મેળવેલ જ્ઞાનના માત્ર સૂચક છે. તે કંઈ ચારિત્ર્યના માપદંડ નથી.

                  ડૉ.એ.પી.જે કલામના જીવન વિશે એમ કહી શકાય કે સાદુ જીવન, સાધના અને સ્વીકૃતિનું પર્યાય. દેશના નેતાઓને જ્યાં રાજકીય કારકિર્દી ઘડવામાં રસ હોય છે ત્યારે કલામને બાળકોના દિમાંગમાં જ્ઞાનનું ચણતર કરવામાં રસ હતો. આપણે વિચારોના અને વાસ્તવિકના ટ્રાફિકમાં અટવાયા છીએ ત્યારે એક પથદર્શકનું જીવન આપણને પથ પરના સાચા દર્શકોની ઓળખ કરાવી જાય છે. દેશમાં જ્ઞાતિ અને જાતિના નામે આજે પક્ષ પુરતી સહાનુભૂતિ દર્શાવાય છે ત્યાં શિક્ષણસંસ્થાઓમાં એક ભાવિ દિશાહીન થતુ જાય છે આ પણ વાસ્તવિકતા છે. એક વખત કલામ પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાના ભવન જતા હતા ત્યારે એક બાળકોનું ગ્રુપ શાળાએ જતુ હતુ અને તેની પીઠ પર પુસ્તકોના ભારથી લચી પડેલુ બેગ હતુ થોડા વિચારોમાંથી પસાર થયા બાદ કંઇ બોલે એ પહેલા કોલેજના યુવાનોનું ટોળુ જોવા મળ્યુ જેની બેગ દેખિતી રીતે ખાલી હતી અને હશે તો પણ જૂજ પુસ્તકો હશે. આ તફાવત જોઇને કલામે કહ્યું કે પુસ્તકોએ ખરેખર ક્યાં હોવું જોઇએ? પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ છે ત્યારે અહીંયા કોઇની માથે દલિલનો ટોપલો મૂકવાની જરૂર નથી. શૈક્ષણિક સંસ્થાઓના મૂળિયા આજે ક્યાંકને ક્યાંક નેતાઓને અડતા હોય છે કાં તો પાર્ટનરશીપમાં પાના ફરતા હોય છે. બાળદિવસ કે આઝાદીના પર્વમાં દેખાતા ફુલજેવા બાળકો પ્રત્યે સંવાદિતતા પણ પ્રાસંગિક થતી જાય છે. જ્યાંથી સૌથી વધુ આઇડિયા અને એક્સપરીમેન્ટના ઊબરા મળે છે ત્યાં અનુભવીઓ અનુભવની દિવાલ દેખાડીને અભિગમનો ક્યો પ્રવાહ રોકવા માગે છે?
Last Tweet Of KALAM

                   કલામ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃતિઓને વેગ આપવામાં અગ્રેસર રહ્યા, રાષ્ટ્રપતિને મળેલી ભેટ પહેલા દેશને મળેલી ભેટ છે આ વાત તેમણે જાહેરમાં કહી. ભાષણબાજી નહી પણ ભાવનાઓ અને યુવા શક્તિ પાસે રહેલી સંભાવનાઓને પ્રચંડ બનાવવા તેમણે પ્રથમ ભાષણ વર્ષ 1962માં શરૂ કર્યુ. લોકોને વાણી થકી કંઇક આપવાની પ્રવૃતિ છેલ્લા શ્ર્વાસ સુધી ચાલી અને કદાચ ઇચ્છિત મૃત્યુ પણ સ્વીકારી લીઘુ. વિદાય વસ્તુની હોય કે વ્યક્તિની કાયમ વસમી જ રહેવાની. કલામે જ્યારે રાષ્ટ્રપતિ પદ છોડ્યું તેના બીજ દિવસે જ દિલ્લી યુનિવર્સિટીમાં વિજ્ઞાન સંશોધનક્ષેત્રે લાગી ગયા. જીએસએલવીની આખી સિરીઝનું નામાંકરણ જ નહી પણ સમગ્ર અવતરણ એ અબ્દુલ કલામના વિજ્ઞાની ભેજાનું પરિણામ છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશ જોઇન્ટ કર્યા બાદ તેમને સર્કિટ પર હાથ અજમાવ્યો પણ જાણીને નવાઇ લાગશે કે સૌ પ્રથમ પરિણામલક્ષી કામ તેણે ઇન્ડિય એરફોર્સ માટે એક નાનું હેલિકોપ્ટર ડીઝાઇન કરાવાનું કર્યુ. 1969માં ઇસરોમાં આવ્યા બાદ જીએસએલવીના પ્રથમ ડાઇરેક્ટર બન્યા. નોંધવા જેવું છે કે આપણે ભલે ગુગલના મેપ અને જીપીએસ સિસ્ટમનો બેફામ ઉપયોગ કરતા હોય પણ દેશમાં બનેલી જીપીએસ એન્ડ મેપ સિસ્ટમ ગગનને જીએસએલવીમાં મૂકી શકાય એવી પહેલ સૌ પ્રથમ કલામે કરી. આમ દેશમાં બનેલી જીપીએસ સિસ્ટમને જાહેર કરવાના પાયામાં પણ કલામ છે. ભાવુક અને ભોળા, જરા પણ કરપ્ટ નહી અને કોમ્યુનલ તો જરાય નહી એવા ડૉ. કલામને વિશાળ વિજ્ઞાનના દરિયામાંથી દેશને ઉપયોગી મોતી શોધવાની ઇચ્છા હતી. બાળકોને સક્ષમ અને સાક્ષર બનાવવા તેમના વિચારોની ધારા રાષ્ટ્રમાં ચોતરફ ફેલાઇ હતી,

            વિશ્ર્વમાં ઝનુન અને ઝેર ઓકતા કેટલાક કટ્ટરો યુવા પેઢિને પોઇઝનસ કરી રહ્યા છે તેમના માટે કલામના પુસ્તકો સાક્ષાત વિચાર પરિવર્તન માટેનો ગંથ્ર છે. મહેનત એળે જાય ત્યારે આળસ કરવાના બદલે અને નિષ્ફળતાનો વિચાર કરવાના બદલે નવસર્જનની પ્રક્રિયા નવી દિશા તરફ દોરી જશે. આ વાત આજે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્વીકારે તો માર્કની હોડ અને એડમિશનની દોડમાં થાક ન લાગે. સર્જન સમય માગે છે પણ સર્જનાત્મકતાને જ્યારે માધ્યમ અને પધ્ધતિસરનું શિક્ષણ મળે ત્યારે શોખ સાથે ગમતી પ્રવૃતિનો સૂર્યોદય થાય. આ વાત કલામ સાહેબે સાબિત કરી. પોતાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા વિમાનને જોઇને મનોમન જાતને કમિટમેન્ટ આપેલું કે હું આ વિજ્ઞાનની દુનિયામાં વિમાનને આકાર આપીશ. આકાર તો આપ્યો પણ એક દિવસ વિમાન પણ ચલાવ્યું એ પણ શ્રેષ્ઠ પાઇલટ્સ સાથે નહીં પણ તાલિમમાં શ્રેષ્ઠ નીવડેલા પાઇલટ્સ સાથે. પરિક્ષા અભ્યાસની હોય કે જીવનની પ્રયાસોની તીવ્રતા અને અખંડ ઇચ્છા શક્તિનો સફળતા સિવાઇ કોઇ વિકલ્પ નથી. આજે ગુણની ભાગાદોડીમાં ગુણવત્તા હાંસિયામાં મૂકાઇ ગઇ છે. ચારિત્ર્ય તો વૃક્ષ સમાન છે જેની નીચે છાંયડો મળે. વસંતઋતુ જેવી મોસમમાં કોઇ ત્રીજી વ્યક્તિ તમને સારી રીતે વધાવે. કલામે દેશને જે આપ્યું એનું ઋણ નહીં પણ પરિણામો એક પાળિયા સમાન છે દેશની મિસાઇલ ટેકનોલોજીમાં સૌથી સારા અને ઉપયોગી પ્રોગ્રામ કલામે આપેલા, સ્પેશ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ક્ષેત્રે સિધ્ધિ એવી મેળવી કે વૈશ્ર્વિક સ્તરે કલામની ખ્યાતિ ક્ષિતિજને પેલે પાર ગઇ. He led the Integrated Guided Missile Development Programme of the Defence Research Development Organisation with great success, અસાધારણ સફળતા છતા સરળતા, વાઇલ્ડ નહીં પણ માઇલ્ડ માણસ. જેનો ચહેરો જોઇને એક સ્વંમ પ્રેરણા મળે એવા વ્યક્તિએ છેલ્લે લખેલુ પુસ્કત. Advantage India: From Challenge to Opportunity    માં તદ્દન નવી વાત અને નવી જ રજૂઆત છે. વોટ્સએપ અને ફેસબુકમાંથી સમય કાઢીને વાંચવા જેવી બુક. આ બુક અમદાવાદ આઇઆઇએમમાંથી લોંચ થઇ હતી અને આજે પણ અમદાવાદ આઇઆઇએમની લાઇબ્રેરીમાં તેની ફસ્ટપ્રિન્ટ છે

અંતે એક ક્વોટ...
એક જવાબદાર નાગરિક તરીકે તમારા વિકાસ માટે સારા માર્કસ સાથે સારાં નૈતિક મૂલ્યો અને વર્તનને પણ જોડવાનાં છે.
હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તે મારા દેશને સખત કામ કરનારા અને જ્ઞાની લોકો મળે તેવા આશીર્વાદ આપે જે મારા દેશને આર્થિક રીતે વિકસિત બનાવે.
વી મિસ યુ કલામસર. આ દેશનો એક સામાન્ય નાગરિક અને વિદ્યાર્થી


Monday, July 18, 2016

નફરત કી દુનિયા કો છોડકર પ્યાર કી દુનિયામેં ખુશ રહેના મેરેયારઃ જતીન ખન્ના

          સિનેમાજગતમાં  ફિલ્મો, સંવાદ અને  સર્જનાત્મતાથી લઇને અવનવા વિષયો પર ક્યારેક સંવાદ તો ક્યારેક વિવાદ થતા રહે છે. મુદ્દો સેંસરશિપનો હોય કે સંવેદનાનો હોય કેન્દ્રમાં કલાકરો રહ્યા છે, અભિનયકલા અને અનોખા વ્યક્તિત્વથી તેની કાયમ ચર્ચા થતી રહે છે. આજે પણ વીતલા જમાનાના ગીત અદ્યતન સંગીતના સાધનોમાંથી રજૂ થાય છે ત્યારે મોર્ડનાઇઝેશનમાં મજા આવે છેે પણ અસલીયતનો 'આનંદ' ખૂટે છે. એક કલાકાર માટે અસલ વસ્તુની રજૂઆત માટેની ઇચ્છા કેવી હોય શકે?  ફિલ્મ હાથી મેરે સાથી શરૂ થઇ એ પહેલા રાજેશ ખન્નાએ પ્રાણીઓ સાથે 3 મહિનાથી વધુ સમય વીતાવેલો. ખાસ કરીને હાથીની નાનામાં નાની હિલચાલને ન માત્ર સમજવા પણ તેને પોતાની આગવી અદાથી અમલમાં મૂકવા માટે કાકાએ ખૂબ પરસેવો પાડેલો. આ સમય રાજેશ ખન્નાની કેરિયનો મધ્યાહન હતો. બોલીવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા પણ એક મહાનાયકનું પદ મેળવવામાં અમિતાભ બચ્ચન મેદાન મારી ગયા. વર્ષ 1970 અને 1980નો સમયગાળો રાજેશ ખન્નાનો  હતો એમ કહી શકાય. બોલીવૂડમાં સતત ચાર વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપવાનો વિક્રમ રાજેશ ખન્નાના નામે છે જે આજ સુધી બોલીવૂડના કોઇ કલાકાર તોડી શક્યા નથી.

      જેમ અત્યારે ઇમરાન હાશમી અને શાહરૂખ ખાન નવી નવી એક્ટ્રેસને ડેબ્યુ આપે છે એમ રાજેશે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ કરવાની તક આપી. જેમાં હેમા માલિની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે જતિન ખન્નાએ સૌથી વધારે ફિલ્મો કરી. હમ દોનો, સીતાપુર કી ગીતા, વિજય, બાબુ, રાજપુત, સુરાગ, દર્દ, કુદરત, નસીબ, બંદિશ, મહેબુબા એમ કુલ 15 ફિલ્મોમાં હેમા અને રાજેશે કામ કર્યુ અને ફિલ્મો પણ હિટ ગઇ. આ એ સમયના થનગનાટ અને તરવરાટથી ભરેલી એવી જોડી હતી જેને ફિલ્મી પડદે 100 ટકા સફળતા મળી. લોકપ્રિયતા અને વિલાસીપણુ સવાર થતા અંતે નિર્માતાઓએ ભોગવવાનો વારો આવતો. ક્યારેક છ-આઠ મહિનાઓ સુધી રાહ જોવી કાકાની મંજૂરીની રાહ જોવી પડતી. રાજેશ ખન્નાએ મુમતાઝ સાથે આઠ ફિલ્મ કરી અને એ તમામ સુપરહિટ સાબિત થઈ. 100 જેટલી ફિલ્મોમાં લીડ રોલ અને ઐયાશીજીવનશૈલીથી એક ગ્લેમરસ હીરો ઉભરી આવ્યો. પણ સાથે સાથે એક નવા કલાકારનો પણ સૂર્યોદય થતો હતો તે કલાકાર એટલે બીગ બી.


     જાણીને નવાઇ લાગશે કે અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા સૌ પ્રથમ રાજેશને ઓફર થઇ હતી અને આ ફિલ્મની થીમ પણ તેમને ખબર હતી એમ માનવામાં આવે છે જે પછીથી તેમણે નકારી દીધી, બોલીવૂડની દુનિયામાં એવોર્ડની અભિલાષા બધા કલાકારોને હોય છે પણ આ સુપરસ્ટાર પોતાના વાતાવરણ અને મહેફિલમાં જીવ્યા. ફિલ્મ આરાધના. જે રાજેશની પસંદગીની ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મનું હિટ સોંગ રૂપ તેરા મસ્તાનાબોલીવૂડનું પહેલું સિંગલટેક સોંગ હતુ,

      આજે પણ રસ્તેથાપસાર થતા હોઇએ ત્યારે તેમનું ગીત કાને અથડાય તો ચિંત એ ગીતમાં ચોંટી જાય અને આગળનું ગીત આપમેળે સ્વરબધ્ધ રીતે સરી પડે. ખાસ નોંધવા જેવી અને ખૂબ ઓછાને ધ્યાને આવે તેવી વાત છે કે કિશોર કુમાર અને રાજેશ ખન્ના બંન્ને વરસાદી ગીતના શોખીન હતા. રાજેશના મોટાભાગના ગીતમાં કિશોર કુમારનો અવાજ છે, રૂપ તેરા મસ્તાના’, ‘મેરે સપનો કી રાની’, ‘આતે જાતે ખુબસુરત’, ‘જીવન કે હર મોડ પે’ , ‘વાદ તેરા વાદ (કિશોરકુમારે ગાયેલી કદાચ એકમાત્ર કવ્વાલી) જેવા ગીત રાજેશના જ નહી પણ કિશોરકુમારના આઇકોન પણ બન્યા. આજે જ્યારે રેંડિયોમાં કે એમપીથ્રીમાં તેમના ગીતા વાગે ત્યારે મન મોર બની થનગાટ કરે, પણ જ્યારે ડીજેમાંથી તે નીકળે ત્યારે કાને આડા ડૂચા દેવા પડે. રાજેશને રફી સાહેબ પર માન થઇ ગયુ જ્યારે તેમના અવાજમાં ગવાયેલા ગીત તેને સફળતાના શિખર સુધી લઇ ગયા, ‘’, યહાં વહાં સારે જહામે તેરના નામ હૈ’, ‘ગુગુના રહે હૈ ભવરે’, ‘નફરત કી દુનિયા કો છોડકે  બાવર્ચી’ ફિલ્મના સેટ પર અમિતાભ સાથે રાજેશ ખન્નાએ કરેલા વર્તનને કારણે જયા બચ્ચને રાજેશ ખન્ના સાથે મોટો ઝઘડો કર્યો હતો. આ બનાવના કારણે જયાને રાજેશની વર્તણુંક ગમી ન હતી, જો કે અંદરખાને અમિતાભની લોકપ્રિયતા રાજેશને ખૂંચતી હતી. 

       રોમાન્સના આ બાદશાહના જ્યાં સુધી શ્ર્વાસ ચાલ્યા અને શરીરમાં શક્તિ રહી ત્યાં સુધી એક ગ્લેમરમાં રહ્યા. વૈભવી લાઇફસ્ટાઇલ અને મદિરાની મિજબાનીમાં ખાસ્સો એવો સમય પસાર કર્યો. નસિબના મજબૂત જોડાણના લીધે ઓછી મહેનતે રાજેશે અણધારી સફળતાઓ મેળવી લીધી અને છવાઇ ગયા. કલાકારોના જીવન અને ફિલ્મ પરના વ્યવહારો ખૂબ જ અલગ હોય છે કોઇ જમીન સાથે જોડાયેલા હોય તો કોઇ આકાશની વિશાળતામાં નિરાકાર બની જાય છે, બોલીવૂડ અને ગ્લેમરના સ્વાદ મળે એટલે સંતુલન રાખવું પડે છે અન્યથા બધુ હોવા છતા એકલાના આવરણમાં શ્ર્વાસ લેવા પડે છે જે કાકાના જીવનમાં અનેકવાર બન્યું અને તેની તીવ્રતા પણ લાંબા સમય સુધી રહી. ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ વો મકામ વો ફિર નહીં આતે

Wednesday, July 13, 2016

મારો હેતુ હંમેશા એક માનવબળનો અને તેના મનની શક્તિનો દેશની પ્રગતિ માટે કેમ ઉપયોગ કરવો તે રહ્યો છે


                    દેશ અને દુનિયામાં ધર્મના બેનર નીચે  ઝનુંન અને આતંકનું આયોજન થાય છે, એક પ્રાંતમાં દુશમનોના ઝંડા ફરકાવીને  ત્રાસવાદી આકાઓના મોત સામે સોફ્ટકોર્નર દેખાડનારો એક વર્ગ ઊભો થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ખરેખર ભારતીય એકતા અને અખંડિતતાની વાતો માત્ર પુસ્તકો તથા વક્તવ્ય પૂરતી જ છે?? કોમ અને કર્તવ્યના ગૂંચવાળામાં ધર્મરૂપી ખિલ્લા ઠોકવામાં આવે છે ત્યારે શસ્ત્ર અને શાસ્ત્રનું ભાન ભૂલાઇ જાય છે. આ વાત સાબિત થઇ ગઇ. આ બધા વચ્ચે એક એવો સમય પણ પસાર થાય છે જે ક્ષણોમાં એક મુઠ્ઠી ઉચેરા માનવીના કાર્યકાળ જ નહી પણ તેની નિવૃતિ અને પ્રવૃતિ બંન્નેને યાદ કરીને તેમની કોઇ પણ વસ્તુ જીવનમાં ઉતરી જાય તો સ્વયં રૂપાંતરણની પ્રક્રિયા આપમેળે શરૂ થઇ જાય. 14 વર્ષ પહેલા તારિખ 15 જૂલાઇના રોજ દેશના 11માં રાષ્ટ્રપતિએ કાર્યભાર સંભાળ્યો હતો. શપથવિધિની પારંપરિક પ્રક્રિયા બાદ દેશને એક એવા મુસ્લીમ રાષ્ટ્રપતિ મળ્યા જેને સલામ કરવાનું મન થાય અને તે નામ એટલે એ.પી.જે. કલામ

         કલામના જીવનમાંથી સમયને સ્વીકારવાનું અને સંજોગોને બદલવાનું શીખવા જેવું છે, રામેશ્ર્વરમથી શરૂ થયેલી જીવનયાત્રામાં રાષ્ટ્રકક્ષાનું પદ મળશે એવું કોઇએ બંધ આંખોથી પણ નહીં વિચાર્યુ હોય. વ્યવહારમાં સાદગી અને વર્તણુંકમાં શિસ્ત એટલું કે પોતાના જ બોડીગાર્ડને બેસવા સુધીની ચિંતા કરે. આપણા રાજકીય પદાધિકારીઓ પોતાના બોડીગાર્ડને સ્વસુરક્ષા અંગે પૂછતા હશે કે નહીં? આંખોમાં સ્વપ્ન લઇને જીવવાની અને ખુદનું જોમ રેડીને તેને સાકાર કરવાની પ્રેરણા દેશને કલામે આપી, આ સાથે લીડરની વ્યાખ્યા સ્પષ્ટ કરી. ડૉ. વિક્રમભાઇ સારાભાઇ વિજ્ઞાની સંગઠનમાંથી નાનાકડા સભ્ય મિસાઇલ મેને દેશને પ્રથમ સેટેલાઇચ લોંચ વેહિકલ આપ્યુ જે સફળતા પુર્વક તરતુ પણ મૂકવામાં આવ્યું. ચૂંટણી સમયે ચાવાળાનું માર્કેટિંગ ખૂબ મોટા હોદ્દે પર બીરાજમાન વ્યક્તિ કરે છે પણ નાનપણમાં અખબાર વિતરકનું કામ કરીને તે આખા દેશવાસીઓનો પિપલ્સ પ્રેસિડન્ટ બને. આ ઘટના કદાચ ભારત સિવાઇ બીજે જોવા ન મળે. આજે રાજકારણીઓ રાઇ જેવડા કામને પોતાના બનાવેલા બિલોરીકાચમાંથી જોઇને પહાડ જેવડો પ્રચાર કરીને લોકનેતા બનવા હવાતિયા મારે છે ત્યારે  ડૉ. કલામમાં સતત કંઇક વૈવિધ્યસભર કરવાની  ટેવથી જ નવા નવા નખુસાઓનું સ્ફુંરણ થયુ હશે. આ ઉપરાંત જીવનભર વિદ્યાર્થી રહેવાની તૈયારી સાથે જીવવું કઠિન છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે બધાને 'સાહેબ' બનવાની તાલાવેલી જાગી છે ત્યારે કોઇને વિદ્યાર્થી બની રહેવું કેમ પરવડે? કલામનો આ વિચાર સતત કંઇક કંઇક શીખતું રહેવાની તૈયારીઓને રજૂ કરે છે.

                 આપણા નેતાઓમાં એવા કોઇ ગુણ ખરા જે આપણને તેમની બાજુ આકર્ષવા મજબુર કરે?  હકિકતમાં રાજકીય ક્ષેત્રે સર્જનશીલ અને સર્જનાત્મક વિચારશૈલીને સ્થાન જ નથી. કલામને કલમ સાથે પ્રિત હતી એ પણ સ્વહિત માટે નહીં પણ દેશના બાળકોને માહિતીના ઉકરડામાંથી જ્ઞાનના રાજમોતી આપવા માટે. કલામની સૌથી વધુ વંચાયેલી બુક એટલે અગનપંખ. માણસને પોતાના કર્મ પ્રત્યેની પુરી નિષ્ઠા હોવી જોઇએ, આ વાત તેણે જીવી બતાવી. કલામ બાળકની નજરેથી જોઇને દેશના ભાવિને ઉજળુ કરવા ઉત્સાહી હતી. આજે પોતાના સ્વપ્નને બાળકોની આંખોમાં કાજળની જેમ આંજીને વાલીઓ બાવળનું  વાવેતર કરીને આંબો લણવા બેઠા હોય એવું લાગે. બની શકે છે તબિબનું સંતાન સારો સંગીતકાર પણ બને.  અને એક સારો ફોટોગ્રાફર ખૂબ સારો અભિનેતા પણ બને. આ એક્ટર એટલે બોમન ઇરાની. કેળવણીને વિષયોના રસથી છલોછલ કરવા કલામે શિક્ષણે ક્ષેત્રે ઓછું પણ અસાધારાણ અને અસરકારક યોગદાન આપ્યું એટલે જ કાદાચ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ જાહેર કાર્યક્રમ અર્થે  શાળા કોલેજોના નવયુવાનીયો સાથે મુલાકાતનો કર્યો. અખંડ ભારત- રજવાડાઓનુું એકત્રીકરણ, અખંડ ભારત વિવિધતામાં એકતા જોનારા બે વ્યક્તિ પણ એક જ નામ. જેમાંના એક એટલે સરદાર વલ્લભાઇ પટેલ અને બીજા વલ્લભ એટલે ભગવાન શ્રીકૃષ્ણ.

                    ત્યાર બાદ કલામે દેશના આવનારા સમયને પોતાના વિચારોની બારીમાંથી નીહાળીને શબ્દોરૂપે ઇન્ડિયા 2020 બુકમાં રજૂ કર્યા છે,  કાર્યશીલ અને પ્રગતિશીલ વચ્ચે પાતળી ભેદરેખા છે જે કલામી ચોખવટ કરી છે. તમારા કર્તવ્યમાંથી પરિણાલક્ષી વિચાર તમને પ્રગતિ બાજુ દોરી જાય છે. મળેલા કોઇ પણ પદની એક અવધી હોય છે અને તે અવધી બાદ નિવૃતિ હોય છે, બે નાનકડી બેગ લઇને રાષ્ટ્રપતિ ભવનમાં આવેલો માણસ અવધી પુરી થતા 24 કલાકમાં જ માત્ર બે જ બેગ સાથે ભવનને અલવિદા કહી પોતાના અભ્યાસને આવનારી પેઢી વચ્ચે વહેચવા નીકળી પડ્યો હતો. તેમની આ વાત પરથી શીખી શકાય કે નિવૃતિ જરૂરી છે પણ પ્રવૃતિમાંથી પલાયન ન થવું જોઇએ.  નિવૃત થતા જ માણસ નિરાંતની પળોને પણ આળસના થર જામી જાય એના હોય એના કરતા ડબલ વિલાસી બની જાય છે. કલામ એટલે ગીતના વાંચક, આધ્યાત્મિકતાના પ્રશંલક, અહમના નહીં પણ આચરણના માણસ, પ્રવચનના નહીં પણ વૈજ્ઞાનિક વિચારધારાના પ્રણેતા.
(ભાગ-1 પુર્ણ, બીજો ભાગ 27 જૂલાઇએ)

Monday, June 20, 2016

શાકભાજીના સભ્યોની સેંચુરી સામે દેશવાસીઓ ક્લીનબોલ

                   
       છેલ્લા એક સપ્તાહમાં ટામેટાના ભાવ સાંભળીને ડૂંગળીનાં આસુંએ રડતી દેશની પ્રજા સામે દેશના કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આશ્ર્વાસન આપવાના બદલે સામો સવાલ કર્યો છે, જે આક્રોશ ઠાલવવા માટે મજબુર કરે છે, દેશમાં વધી રહેલી ચીજ વસ્તુઓ અને ઇંધણની આસમાની કિંમતથી પીડાતી આમ જનતાને રાહત આપવાના બદલે નાણામંત્રી મોંધવારી છે નહીં એવી વાણીને વહેતી કરતા એક કડવાશ વ્યાપી ગઇ છે. જેટલીના મતે માત્ર 3 ચીજોના ભાવ વધ્યા છે અને એ પણ સિઝનલ હોય એટલે તેને મોંધવારી કહી શકાય નહીં એવું તેમને એક ચેનલને ઇન્ટવ્યુમાં કહ્યું. દેશના નાણામંત્રીને ધ્યાનચૂંક થયું હશે કે એક જ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોને દઝાડ્યા છે, બજારમાં દાળના ભાવનું ચિત્ર દિલ્લી સુધી પહોંચ્યું હશે છતા અંકુશ અને અમલીકરણની માત્ર વાતો થાય છે, શાકભાજીમાં ડૂંગળી ટામેટા બાદ હવે બટાટાનો ભાવ રૂ.100 થવા જઇ રહ્યો છે, દેશમાં મોંધી બનતી જમવાની થાળીને મોંધી બનતી અટકાવવા અસરકારક પગલા જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે

      પેટ્રોલ, ડીઝલ, શિક્ષણ ફી અને ટેક્સના વૈવિઘ્યસભર માળખામાં આવતી નાની મોટી કોમોડિટી પર એક જ કર નાંખીને સિધ્ધિસર કરવાની વાત કરતી સરકાર સમયાંતરે મોંધવારીના મૂંગા ઠોસા મારે છે, આરબીઆઇના ગવર્નર અને નાણામંત્રી વચ્ચે ચાલતા મતભેદથી સમગ્ર દેશવાસીઓ વાકેફ છે, દેશમાં નોકરિયાત અને મધ્યમવર્ગને પડતી મુશ્કેલીમાં વધારો ત્યારે થાય છે જ્યારે પ્રાથમિક ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબે છે, ચોમાસુ સત્ર પહેલા ભાવવધારાને અંકુંશમાં ન રાખી શકનારી સરકારને કેવો અને કેટલો વિકાસ જોઇએ છે એ અંગે પ્રજા મુંઝવણમાં છે, વિકાસ એટલે શું.???ભાવ વધારાથી વિકાસ થતો હોય તો સરકારે ગરીબી હટાવવાની ખાલીખોખા જેવી વાત ખાનગીમાં પણ ન કરવી જોઇએ, અગસ્તા હેલિકોપ્ટર કૌભાંડ, વાડ્રાનો જમીન વિવાદ, ભાગેડું માલ્યા અને શાકભાજી જેવી ખાદ્ય વસ્તુઓના મુદ્દે મોદી મૌન છે. આ બધુ અહીં એટલા માટે કારણ કે અદ્રશ્ય રીતે આર્થિક રીતે ઢોરમાર દેશના મધ્યમવર્ગ જ ખાય છે, મોંધવારીના બેનર નીચે એક યાદી બનાવી શકાય જેમાં દાળ, શાકભાજી, ખાંડ, પેટ્રોલ, ડીઝલ, ઘરભાડું (દરેક શહેરની પ્રોપર્ટીમાં દેખીતી મંદીને ઊભી કરવામાં આવે છે)નો સમાવેશ થાય છે, અરૂણભાઇ કહે છે કે 300 જેટલી ચીજ વસ્તુઓના ભાવ ઘટ્યા છે જેની કોઇ નોંધ લેવામાં આવી નથી. પણ કઇ કોમોડિટીના ભાવ ગબડ્યા છે અને કેટલા ગબડ્યા છે એની કોઇ સ્પષ્ટતા ફાઇનાન્સ મિનિસ્ટરે કરી નથી. ટુંકમાં મગનું નામ મરી ના પાડ્યુ.

          `ગુજરાતના ગામડાંઓને પાકા રસ્તાઓથી જોડવાની વાત કરવામાં આવી છે જેને લઇને આવનારા દિવસોમાં કરોડો રૂપિયાનું આંધણ થશે, સારી વાત છે અને સાચી વાત છે. પરંતુ, પાકા રસ્તા શું મફતમાં બનશેં??? ટોલ ટેક્સની કોઇ જાહેરાત નહીં થાય સીધો લાગું જ કરવામાં આવશે એ પણ લાઇફટાઇમ સુધી, કારણ કે રાજ્યમાં નવા રસ્તાઓથી આવકનું માધ્યમ સરકારી તીજોરીમાં વિકાસ કરી આપશે, વિધાનસભા 2017ની ચૂંટણી માટે અચ્છેદિન બતાવવા તો પડશે ને.??ગેસના ભાવ પણ મોંધવારીને વ્યાપ આપે છે. ભ્રષ્ટાચાર મુક્તિના દાવા કરી વાલીઓની કરોડરજ્જુ તોડતી શાળાઓમાં આધારકાર્ડની ઝુંબેશ શરૂ કરવાની છે પણ ફી વધારા સામે માત્ર આંખ લાલ કરીને ફુંફાડા મારે છે. એ પણ વાલીઓના વિરોધ બાદ.વૈકલ્પિક આવકના સ્ત્રોત શોધતા લોકો માટે પરિશ્રમ ઓછો અને બચત ઘટતી જાય છે આકસ્મિક સમય માટે એક સમયે સચવાતુ પ્રોવિઝન હવે પાતાળના તળિયે છે. મોલ અને મેટ્રો કલ્ચરમાં એજ્યુકેશનથી સારી નોકરી મળે છે પણ અભ્યાસ પાછળની કિંમત મોટી અને લાંબી થતી જાય છે. સગવડ પ્રમાણે વિકાસની વ્યાખ્યાઓ બદલાવતી સરકાર સામે નવું કંઇક આવશે એટલે આપમેળે મોંધવારીનો મુદ્દો દબાશે. તીવ્રતાથી ભરેલા ભાવવધારાથી સરકાર ક્યાંક પીડને જ જીવનનો આધાર અને ધબકાર ન બનાવી દે.

આઉટ ઓફ બોક્સ
ઓનલાઇન ખરિદી પણ મોંધી બનશે કારણ કે સરકાર ઓનલાઇન શોંપિગ કંપનીઓને પણ ટેક્સની જ્વાળામાં લેશે


Wednesday, June 08, 2016

જવાહરબાગ મેં જબ ખૂબ ચલી થી ગોલીયા

                  ધર્મ અને દેશપ્રેમના નામે જેટલી હેકડાય થાય છે એટલી કદાચ સીધી રીતે વ્યવહારમાં પણ નહીં થતી હોય, આપણા દેશમાં સ્વામી, ગુરુ, મહરાજ, બાપુ અને બાબાઓની બટાલીય જ્યારે શાસ્ત્રોના સ્થાને શસ્ત્રો ઉપાડે છે ત્યારે સવાલો ઊભા થાય છે, ધર્મ, સંપ્રદાય અને સંગઠનોની હકીકત જ્યારે ખુલ્લાસો કરવો પડે તેવો હોબાળો મચે છે ત્યારે બાહર આવે છે. મથુરામાં થયેલા તોફાનોમાં જ્યારે પોલીસ કર્મીઓ સહિત કુલ 29 લોકોને અકાળે યમરાજ ઉપાડી ગયા ત્યારે સરકારી જમીન પર બુધ્ધીવગરના બળદોનો અડિંગો છતો થયો, જવાહરબાગ કે જે ફળફળાદી માટે જાણિતુ ઉપવન હતુ તે આજે સ્મશાનઘાટ બન્યું છે. મથુરામાં થયેલી હિંસા શરમજનક છે પણ આ મથુરાહિંસાની ઘટના કોઇ માટે વોટબેંક, વિપક્ષ માટે લડી લેવાનો મુદ્દો તો ઉત્તર પ્રદેશની સરકાર  ઊંઘતી હોવાની બાબત મળી.

                       જવાહરબાગની સેંકડો એકર જમીન પચાવીને બાબાનો ભક્તોએ કે અનુયાયીઓએ દાવેબાજી સાથે બે દિવસ વિરોધ પ્રદર્શનની પરવાનગી પાછળ બે વર્ષથી બાપ થઇને બેઠેલાઓનું સત્ય સામે આવ્યું, જે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો તેને બટેટાની ભારી અને શાકભાજીના સામાનમાં રાખીને લઇ જવાતા હતા.  પાણીમાં લીલીની જેમ જામી ગયેલા આ ખર-બુધ્ધીજીવોની સરકારને બે વર્ષે જાણ થઇ. આમ પણ સરકારી જમીનને પોતાની કરી લેવાની ઘટના અસામાન્ય નથી. સમયાંતરે શહેરોમાં થતા ડેમોલિશન, નોટિસ, એક્શન અને રિએક્શનમાં હોમાઇ જતી નિર્દોષ જિંદગીઓને રાજકીટ સ્પર્શ લાગતા વાર નથી લાગતી, સામે પક્ષે તંત્રના આદેશને પોતાના ઘરનો ઓટલો માની રોફ જમાવનારાઓની આખી ગેંગ દેશભરમાં હાજર છે. 280 એકરની જમીન પર સંખ્યાબંધ ગાડીઓને આગ લગાડવામાં આવી હતી.  દેશમાં એવા પ્રકારનો માહોલ જોવા મળ્યો જેમાં શાસ્ત્રોનું જ્ઞાન ઓછુ અને શસ્ત્રોનું ઝનુન જોવા મળ્યું. આ તમામ વસ્તુઓના કેન્દ્રમાં રામવૃક્ષ યાદવ છે જેનું મોત થયુ હોવાની વાત ખુદ ઉત્તર પ્રદેશ પોલીસે કરી.


              આ ધટનાને કેન્દ્રમાં રાખીને થોડું રિવાઇન્ડ કરીએ. શ્રીશ્રીશ્રી રવિશંકરનો આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપીને વિવાદના ફંક્શનને કલ્ચરલ ઇવેન્ટમાં રૂપાંતર કરવામાં આવ્યું, જેમાં વિલનરૂપી ભૂમિકા નેશનન ગ્રીન ટ્રિબ્યુનલે ભજવી,  પવિત્ર એવી યમુના નદીના કાંઠે ત્રણ દિવસના આધ્યાત્મિક મેળામાં મસમોટા હોબાળા બાદ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. જેની સામે નુકશાન પેટે પાંચ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો જે પૈકી 25 લાખ તત્કાળ અને બાકીની રકમ ત્રણ સપ્તાહમાં ભરી આપવાનો આદેશ કરવામાં આવ્યો. આ વાત અહીં એટલા માટે કારણ કે કહેવાતા બાબાઓ આધ્યાત્મની સમજની સાથે કાયદાને અનુસરતા નથી. આ ઉપરાંત જે તે સંપ્રદાયમાં તેમના બનાવેલ અને વ્યક્તિ વ્યક્તિએ બદલાતા નિયમોને ફરજિયાતપણ અનુસરવાનું કહેનારા માહિર દેશની છબી ન ડૂબે એનો અઘ્યાય ભણાવવામાં પરિણામે નાપાસ થયા છે.

                      ભગવાધારી કોઇ પણ હોઇ તેના ફોલોઅર્સ અને ફાઉન્ડેશનની સંખ્યા કોઇ દિવસ સિંગલ ડીજીટમાં નથી હોતી. મથુરામાં જે તોફાનો થયા તેમા બાબા જયગુરૂદેવના ભગતો છે એ પણ લાખોની સંખ્યામાં. જે બાબાનું મૂળનામ તુલસી મહારાજ છે. આપણે ત્યા ડખ્ખો એ છે કે મુળનામ પોલીસ ધરપકડ બાદ જાણવા મળે છે જ્યારે બાબાઓને કેસમાં તંત્રને પણ રિસર્ચ કરવું પડતું હશે, દેશમાં કોઇ પણ બાબો ધ્યાને લો તેની સંપત્તિ કરોડોની હોવાની આ વાત અનેક વાર માઘ્યમોમાં આવી ચૂકી છે, જવાહરબાગના બગીચાના અધિકારીના મુકેશ કુમારના જણાવ્યા પ્રમાણે  પ્રશાસનને બધી ખબર હતી અને અનેકવાર એફઆઇઆર પણ કરવામાં આવી હતી. જો આ પહેલા પગલા લેવાયા હોત તો એ 29 જિંદગીઓ શ્ર્વાસ લેતી હોત. આ સમગ્ર મામલાને સુપ્રિમના દ્વાર સુધી લઇ જનાર એડવોકેટ કામિની જયસ્વાલે તપાસ સીબીઆઇને સોંપવા માટેની માંગ કરી હતી, પોઇન્ટ ઇઝ ધેટ પોલીસ તંત્ર અહીં સીધું જ ક્લચમાં આંવે, આ ઉપરાંત ઉ.પ્ર.માં 2017માં ચૂંટણીઓ આવી રહી છે જેની તૈયારીઓ પણ થઇ રહી છે ત્યારે સમાજવાદી પક્ષ અન બીજેપીએ એક સામાન્ય સૂર પુરાવ્યો છે કે પોલીસ તંત્ર પાસે ફાયિરંગ કરવાના કોઇ આદેશ ન હતા, સમગ્ર ઘટના રાજનીતિના સમુદ્રમાં કોઇ માટે અમાસની ઓટ તો કોઇ માટે પૂનમની ભરતી બની રહેશે.

 જયગુરુદેવ, સંત રામપાલ, ગુરૂરામ રહિમ, સ્વામિ નિત્યાનંદ, નિર્મલબાબા અને આસારામ સહિત તમામ પાસે પોતાને અનુસરતા લોકોની ફૌજ છે અને સંપતિ પાર વિનાની છે. હવે આધ્યાત્મથી માનસ બદલી શકાતુ હોય તો સામાન્ય બુધ્ધિ વિકાસ માટે પણ એક આશ્રમ ખુલવો જોઇએ. બાકી બાબાઓની બટાલીયન વચ્ચે આ પ્રકારની લીલાઓ થતી રહેવાની જ્યાં સુધી તંત્રી પોતાની સંપતિ માટે અસરકારક ચિંટિયો ન ભરે

Wednesday, June 01, 2016

છ રાજ્યમાં અસ્તિત્વ અને પ્રતિષ્ઠાનો જંગઃ

અસમ અને કેરલમાં સફળતા મળ્યા બાદ દેશના રાજકીય પક્ષ માટે હવે કપરા ચઢાણના મંડાણ થયું છે. વર્ષ 2017માં કુલ 6 રાજ્યની વિધાનસભાનીચૂંટણી માટેની રણનીતિ અત્યારથી તૈયારી થઇ રહી છે ત્યારે બીજેપીની ખરી પરિક્ષા પ્રાદેશિક પક્ષો સામે છે. ગુજરાતને બાદ કરતા પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં  પ્રાદેશિક પક્ષો સામે ટક્કર છે જ્યારે ઉત્તરપ્રદેશમાં બીજેપી કમળની પાંદળી જેટલી પણ જીત નહીં મેળવે તો કોંગ્રેસ મુક્ત સ્વપ્નના સ્થાને ઉત્તરપ્રદેશમાં પ્રવેશ એક સપનું બની જશે. 2014માં સમગ્ર દેશમાં મોદી લહેરની અસર યુપીમાં પણ થઇ હતી જેનું પરિણામ ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભાની સીટમાંથી 71 સીટ પર બીજેપીએ વિજયવાવટો ફરકાવ્યો. 2014માં મોદી લહેરનો સીધો લાભ બીજેપીને થયો. ઉજવણીના બે વર્ષ પાછળ યોજના આવનારી ચૂંટણીનો ધ્યેય સ્પષ્ટ છે. લક્ષ્યાંક યુપીમાં છેલ્લા 15 વર્ષથી બીજેપી સત્તાથી દૂર છે ત્યાં કમળ ખીલવવા માટેના પગલા ભરાયા છે. શાહની કેપ્ટનશીપ અને મોદીની વાણીથી દેશના સૌથી મોટા રાજ્યમાં પડધા પડશે તો ઇતિહાસ બનશે અન્યથા યુપીમાં ક્યાંય ફટાકડા નહી ફુટે. (યાદ કરો...અમિત શાહનું ક્વોટ બિહાર વિઘાનસભા ચૂંટણીપ્રચાર વખતે)


યુપીમાં જીત મેળવવી બીજેપી માટે પ્રતિષ્ઠ સાચવવા જેવું છે. જ્યાં સામનો પ્રાદેશિક પક્ષોનો કરવાનો છે. કોંગ્રેસ મુક્તિ બીજેપી માટે ગળામાં અટવાયેલા કાંટા સમાન ન બની રહે કે જે નીચે પણ ન ઉતરે પણ સતત ખટક્યા કરે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી તેમની નજર દેશના સેવન સિસ્ટર્સ સ્ટેટ પર રહી છે. અસમથી આરંભ કર્યા બાદ હવે મણિપુરની ગાદી પર શાસન માટેની પૂર્વ તૈયારીઓ છે. અસમમાં વિકાસ અને નક્સલવાદના મુદ્દે વાયદાઓની નદી વહેતી કરીને અસમમાં આસન જમાવી દેવાયું એ માટે દાદ આપવી પડે. કોંગ્રેસના 15 વર્ષના શાસનને એક ઝાટકે જમીનદોસ્ત કરીને શાહ રાજનીતિમાં કુલ કેપ્ટન સાબિત થયા. મોદી સરકારની ઇસ્ટ પોલીસીથી સ્વરૂપ અને સ્થિતિ બદલતા જાય છે, શિલોંગમાં મોદીએ ત્રણ નવી ટ્રેનને લીલી ઝંડી આપી અને ફરી દેશને જોડવાની સાથે પ્રગતિનિ દિશા નક્કી થઇ, પૂર્વના લોકોએ મોદીની લહેરનો અહેસાસ થયો પણ સારી વાત સાથે યશ મેળવીને પહાડ જેવડા પ્રચાર કરવાની બીજેપીની ક્લિયર પોલીસી રહી છે એ પછી ગુજરાત હોય કે દિલ્લી..કુલ રેલ નેટવર્કના માત્ર 4 ટકા નેટવર્ક પૂર્વના રાજ્યમાં છે ત્યારે રેલ થકી વધુ મજબુત ક્નેક્ટિવિટી આપવાની વાત મોદી એ કરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં હરિશ રાવતના કમબેક સામે બીજેપીએ મૌન સેવી લીધુ. હરિશ રાવત સાથેના વિવાદના છાંટા આવનારી ચૂંટણીમાં ચોક્કસથી ઉડશે, મોદીની ટીમ માટે ઉત્તરાખંડમાં પડકાર ઓછો નથી. ઉત્તરાખંડની કુલ 70 સીટ સામે બીજેપીને વર્ષ 2012માં 31 સીટ પર સ્થાન મળ્યું હતુ,  મણિપુરમાં બીજેપીની સીધી કસોટી પ્રતિસ્પર્ધી પક્ષ કોંગ્રેસ સાથે છે. આમ પણ મણિપુરમાં બીજેપી ખાસ કોઇ છાપ છોડી શકી નથી. આ વખતે જોવાનું છે કે મણિપુરમાં અમિત શાહની વ્યૂહરચના કામ કરશે કે બિહારની ચૂંટણીની જેમ ઓસરી જશે.


જ્યારે કમળનો મણિપૂરમાં ઉદય થશે ત્યારે પૂર્વના રાજ્યમાં સ્વીકૃતિ મળી છે એમ કહી શકાશે. જ્યારે ગોવા જેવા નાના રાજ્યમાં બીજેપી દબદબો જાળવી રાખશે, પણ ગુજરાતમાં સ્થિતિ જોઇને બ્લુપ્રિન્ટ કાઢવી થોડી વસમી રહેશે કારણ કે અનામત આંદોલનની આગના હજુ પણ ધુમાડા નીકળે છે. વર્તમાન સીએમના નેતૃત્વને લઇને સવાલ સાથે સમસ્યાઓ છે જેમ કે નીટનો મુદ્દો, અનામત, પીવાના પાણીની સમસ્યા, વિકાસ યાત્રાના બેનર નીચે આ બાબતો પર પદડો પડી ગયો. અનાર પટેલના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો, આમ છતા મજબુત સંગઠનને લઇને પ્રચાર માટેની દોડ શરૂ થઇ ગઇ છે. જ્યારે પંજાબમાં અકાલીદળ સામે કોઇ ઠોસ મુદ્દે બીજેપીએ વાયદા કરાવ પડશે. પ્રતિષ્ઠાની સાથો સાથ હવે શાખનો સવાલ છે.  જ્યારે સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો જંગ બની રહેશે, કોંગ્રસે વર્ષોથી રાજ્યના પ્રાદેશિક પક્ષો સંગઠનો સાથે પોતાના હોવાની સાબિતી આપી છે. પણ દેશમાં મોદી વિરુધ્ધ એક જૂથ સામે આવ્યું છે જેમાં કેજરીવાલ, મમતા, જયલલિતા, નીતિશકુમાર, લાલુ, માયાવતીનો સમાવેશ થાય છે. ખરેખર તો બીજેપી માટે પ્રચાર ભલે અત્યારથી શરૂ થઇ ગયો હોય પણ રણનીતિ કરતા મતની ટાકવારી અને વધુ બેઠક માટે શું કરી શકાય એ સંશોધનનો વિષય છે. વિકાસની વાતો સાથે ખટરાગ અને આક્ષેપબાજી વચ્ચે નવી શરૂઆત પરિશ્રમથી ભરપુર રહેશે પણ જ્યાં છે ત્યાં પણ ટકી રહેવા જંગમાં પુરા આયોજન સાથે ઉતરવુ પડશે, અન્યથા પ્રાદેશિકપક્ષો પોતાની પડખે હા પાડવા પણ નહી ઉભા રહે. 

Wednesday, May 25, 2016

વાયદા અને વિકાસની વાતોના વર્ષો

           કેન્દ્રમાં કમળ ખિલ્યુંને બે વર્ષ થયા. શાહના સંચાલનથી શાસકપક્ષની ક્યાંક પ્રગતિ તો ક્યાંક સ્થિતિ એવીને એવી રહી, બે વર્ષના સમયમાં કેટલાક મુદ્દે પીએમ મોદીના મૌન સામે સળગતી સમસ્યાઓના સવાલ ઊભા થયા. દેશભરમાં ડીગ્રીએ જે ઉપાડો લીધો કે દેશવાસીઓ અગનભઠ્ઠીમાં અને રાજનેતાઓ મોદીની ડીગ્રીમાં ગૂંચવાયા. આમઆદમી પાર્ટીએ મોદીની શૈક્ષણિક ડીગ્રીને લઇને કરલા સવાલથી ખુલાસો પડે એવો હોબાળો મચી ગયો.  વિકાસયાત્રાના નામે 2017ની વિધાનસભાની ચૂંટણીનો પ્રચારપ્રવાસ શરૂ થયો હોય એમ લાગે છે. પક્ષ ભલે શાંતિ શાંતિ છેની સ્પષ્ટતા કરે પણ આંતરિક ખટરાગ અને પરસ્પરની ખટપટ સમયાંતરે બાહર આવી છે


     પીએમ મોદી પાસે ટાઇમિંગ અને ટિમવર્ક બંન્ને વસ્તુ હતી અને આજે પણ છે, આ બે વસ્તુના વ્યવસ્થિત સુશાસનથી વીતેલા બે વર્ષ શાસનપધ્ધિતની મહોર મારી શકાય એવા બની શક્યા હોત. આ વીતેલા બે વર્ષમાં અર્થવ્યવસ્થાનું એન્જિન આર્થિક વિકાસની બુલેટ ટ્રેન તો શું લોકલ ગાડી પણ ન બની શક્યુ, અરૂણ જેટલી અને રધુરામ વચ્ચેની મતભેદથી વિવાદ અને વિખવાદના ચિત્રએ સમય વેડફ્યો. જેની સામે પીએમએ કોઇ પ્રતિક્રિયા ન આપી, જ્યારે વિદેશ પ્રવાસમાં જઇને આર્થિક વિકાસ માટે આગળ આવવા વિશ્ર્વાસભરી વાત વહેતી કરી. ટુંકમાં ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં મહેમાનને નોતરવાની વાત થઇ, જેએનયુ વિવાદમાં વિપક્ષે તકવાદી બનીને જે ચાબખા માર્યા એમા વિકાસપ્રેમી શાસનની છબી ખરડાઇ ગઇ. ભારત માતાકી જય બોલવાના શાબ્દિક યુધ્ધે બંધારણને વચ્ચે લાવી બંધારણને અનુસરવા વાત જોરશોરથી સાંભળવા મળી. રાષ્ટ્રભક્તિને વળગી રહેનાર નેતાઓ સામે મૂળ મુદ્દો બીજે ફંટાઇ ગયો. દિલ્લી અને બિહારમાં ભાજપનું ધોવાણ થઇ ગયું યાદ કરો અમિત શાહના શબ્દો अगर गलती से भी बीजेपी बिहारमे हारी तो पाकिस्तानमे पटाखे फोडे जायेगेઅને બિહારમાં બીજેપીનું કમળ કરમાયું.

                       
            અસહિષ્ણુતાનો વિવાદ એવો વકર્યો કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે અસહિષ્ણુતા પ્રવર્તે છે આ વાત વગર પૂરાવાએ સાબિત થઇ. બાકી જુદા જુદા પ્રાંત અને રાજ્યના લોકો પાડોશી રાજ્યમાં સુખેથી રહે છે અને જે તે રાજ્ય માટે અર્થ ઉપાર્જન પણ કરી આપે છે. ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના પીએમ  પાવરફુલ તો છે જ. પણ પર્ફોમન્સનો પ્રશ્ર્ન યથાવત છે. પ્રજા અમલીકરણ માટે તરસી છે. મોદી સરકારના શાસનકાળ દરમિયાન અનેક સ્કિમ કે યોજના લોંચ થઇ પણ પરિવર્તનનો આંશિક અહેસાસ થયો. મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, જનધન યોજના, સાંસદ આર્દશ ગ્રામ યોજના, હવે સફળતા શિખરે પહોંચવા ચઢાણ આડેના અવરોધો અનેક છે. ક્યાંક ટીમવર્ક ખૂટે છે તો ક્યાંક સ્કિમ કામ કરે છે. જીએસટી બિલનું નામ સાંભળતા વિપક્ષ ઊંધમાંથી સક્રિય થઇ જાય છે એ બિલ આર્થિક સ્થિરતા અને સુધારાનું પ્રમાણપત્ર બની શક્યુ હોત. આ બિલ હજુ હવામાં છે. શાસક વિપક્ષીઓ સામે સમજૂતીની સ્વીટ મૂકી હોત તો પરિણામ જુદુ હોત. પણ પાણીમાં જામેલી લીલની જેમ મનની માનસિકતાને પરિવર્તનના પવન સ્પર્શતા નથી. દેશનું હિત હાંસિયામાં અને વ્યક્તિગત વોરની અગ્રતા સામે આવી. જો કે વિખવાદ અને મતભેદના કારણે નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા. જ્યારે આસામની જીતથી પક્ષમાં નવા યુગની શરૂઆત થઇ. હવે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં મોદી લહેર અને યોજનાઓ અસર કરશે એ પ્રજા નક્કિ કરશે.

Tuesday, May 17, 2016

બે વર્ષનો બેનિફિટ શું

ગુજરાત છોડીને કેન્દ્ર તરફ પ્રસ્થાન કરીને પીએમ પદ મેળવનાર નરેન્દ્ર મોદીને 16 મે 2016ના રોજ બે વર્ષ પુરા થયા. મોદીને સૌથી મજબુત અને પાવરફુલ નેતા છે એવું ટાઇમ મેગેઝિને કવર પેજ પર સ્થાન આપીને સાબિત કરી દીધુ. લોકસભામાં નોંધપાત્ર જીત મેળવીને દિલ્લીની ગાદી પર બેસનાર મોદીના કેંદ્રિય મંત્રી મંડળોમાં મોદી સમાન સક્રિયતા નથી એ વાત અવારનવાર સામે આવી છે. જેથી સક્ષમ વ્યક્તિ હોવા છતા પરિણામમાં શૂન્ય મળી રહ્યું. ખાસ કરીને જ્યારે મોદીએ બે વર્ષમાં 100 થી વધારે કાર્યક્રમો આપ્યા અને 26 દેશની યાત્રા કરી ત્યારે સોશ્યિલ મીડિયા પર મોદી પર જોક્સ ફરતા થયા હતા કે મોદીજી તમને કેન્દ્રમાં કામ કરવા માટે મોકલ્યા છે 3 નાઇટ 4 ડેના પેકેજ માટે નહીં. મોદીના વાયદા અને કાર્યપ્રણાલીની ચર્ચા અનેકવાર થઇ છે ત્યારે વિચારવા જેવો સાવલ એ પણ થાય કે જ્યારે મોદી ગુજરાતમાં હતા ત્યારે જે રીતે રાજ્ય સરકારના કર્મચારીઓને કામ કરતા કરી દીધા એમ શું કેંદ્રના સ્ટાફનો રિપોર્ટ મંગાવતા હશે?


મોદી જનતા સામે અસાધારણ અપેક્ષાઓનો એવરેસ્ટ દેખાડે છે અને જ્યારે પરિણામની વાત આવે ત્યારે તેનું મૌન વહી જતા સમય સાથે ભૂલાય જતી બાબતો પર સફળતા મેળવી લે છે. મોદી સરકાર આવ્યા બાદ મોંધવારીના મારથી પીસાતી પ્રજાનો આક્રોશ વિરોધ પક્ષે પોતે ઓઢીને વિકાસના અનેક કામમે ખલેલ ઉભી કરી. ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે અનેક વખત સત્ર ચાલ્યુ નથી એના પણ પુરાવા છે. આ ઉપરાંત મોદીની ટીમના મંત્રીઓ વિવાદના વરસાદમાં સતત અને સખત પલડતા રહ્યા છે. સ્મૃતિ ઇરાનીની ડીગ્રીથી તેની શરૂઆત થઇ જે મોદીની ડીગ્રી સુધી આવતા તેના પર કોઇ પુર્ણવિરામ મૂકાયું નથી, બે વર્ષના ગાળા કેટલોય મહત્વનો સમય ગારામાં સુકાઇ ગયો. ભારત માતા કી જય, જેએનયુમાં જંગ, ગૌમાંસ, નીટ સામે રાજ્ય સરકારની પરિક્ષાઓ, દાળના ભાવ વધારા, રોજગારી માટે વિદેશમાંથી ઇન્વેસમેંટ લાવવાની વાત, કાળા નાણાનો મુદ્દો, ડોન દાઉદને ભારત લાવવા માટેની જાહેરાત ગુજરાતમાં અનામત આંદોલન જેવા અનેક વિવાદોના વર્ઝન બનાવી શકાય એટલા ખટરાગથી દેશની છબી ખરડાય.

દેશની જનતા હવે રિઝલ્ટ માગે છે ત્યારે રિબેલ કરી શકાય એવી સ્થિતિ નથી અને એમ કરવામાં દેશના જ કિંમતી સમય અને યુવાધનને નુકશાન છે, જે વીતી ગયું એ વસમું રહ્યુ પણ આવનારા સમયને ઉત્સવમાં પલટી શકાય એમ છે. મોદી સરકારના સ્વપ્ન સમાન કેટલીય ઇવેન્ટો મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત, બેટી બચાવો, સબસીડી છોડો, જેવા પ્રોજેક્ટ પર કામ કરી શકાય છે. મૂળ વાત સુપરવિઝન અને ફોલોઅપની છે, મોદી સરકારનું કામ ફ્લાવર પાછળ ફિયાસ્કા જેવું છે, જ્યારે કોઇ પણ યોજના કે પ્રોજેક્ટ શરૂ થવાના હોય ત્યારે એમ થાય કે ટુંક સમયમાં ઉપવન બનશે પણ પછીથી પરિણામ ઉલટું નજરે ચડે છે, હવે પોલિટિક્સ પણ પર્ફોન્મસ બેઇઝડ બન્યું છે. પાંચ વર્ષનો હિસાબ અને વાયદાઓ સામે દેશવાસીઓ પ્રેક્ટિકલ વસ્તુઓ માંગે છે, અગસ્તા વેસ્ટલેંડ, વિજય માલ્યા, કોહિનૂર હિરો, રફાલ હેલિકોપ્ટર્સ, મેટ્રો રેલ, જેવી વાત આંતરરાષ્ટ્રિય સ્તરે મોદી સામે સવાલ કરે છે, વાસ્તવિકતા એ પણ છે કે કોહિનૂર મુદ્દે કે વિજયા માલ્યાને લઇને પરદેશની સરકાર ખોંખારો ખાવા જેટલો પણ પ્રતિસાદ આપતી નથી.


નાણામંત્રી જેટલી અને રિર્ઝવ બેંકના રધુરામન વચ્ચેના ઇગો ક્લેશથી બધા લોકો વાકેફ છે પણ મોદીની ડીગ્રી વિવાદમાં ખુલ્લાસો આપવો પડે એવો હોબાળો મચી ગયો જેમાં જેટલીએ પણ હાજરી આપી હતી, અર્થતંત્રને વેગવંતુ કરીને દેશને સક્ષમ અને સમૃધ્ધ બનાવવા રધુરામન પાસે કદાચ બ્લુપ્રિન્ટ તૈયાર હશે પણ જેટલીએ મોંધવારી હળવી કરવા હવામાં તીર મારવાની પણ હિમ્મત કરી નથી, 56ની છાતી મોદીના મંત્રીઓ કહેવા કરતા કરીને બતાવે એમાં લોકોને રસ છે નહીં કે ખોટી બબાલમાં. વધુ એક વાતથી અંતિમ તબક્કામાં.વાત સૌથી અગત્યની અને આવશ્યક એ પણ છે કે મોદી સરકારના સમયમાં જ નાની મોટી નદીઓનો લિંકિગ પ્રોજેક્ટ જાહેર થયો હતો અને ગંગા નદીની સફાઇની વાત કરવામાં આવી હતી પણ ચિત્રના બદલાવની વાત તો દૂર પણ ટિમ વર્કથી ધમાકેદાર શરૂઆત થાય તો પણ મોદી સરકારની સિધ્ધિમાં સરવાળા અર્થે મૂકી શકાય. બાકી દેશમાં સક્ષમ સ્વજનો પણ સફળતાની સીડી પર ઊભા રહીને અન્યનો રસ્તો રોકીને બેઠા છે.

આઉટ ઓફ ધ બોક્સ

વોટ્સ એપ અને ફેસબુકના યુગમાં એક આખી પેઢી દેશના મૂળથી ડિસકનેક્ટ ન થવી જોઇએ.

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...