Wednesday, August 29, 2012

કૌભાંડ કથા.
વિશ્વના મોટાદેશની નજર અપણા દેશ પર કેન્દ્રિત થઇ. 


એક પછી એક બહાર આવેલા કૌભાંડની કથાના અધ્યાય અપણા સંસદમાં ચર્ચાય છે અને દેશની તિજોરીને કેટલી ખોટ થઇ છે અને તેના આકડાઓથી આખો ચાર થાય જાય છે ત્યારે આખા વિશ્વમાં આચકો આપનાર આ કૌભાંડોમાં આયોજક અને સહાયકની ચર્ચા માટે એક બીજા પર દોષના ટોપલા ઢોળવામાં આવે છે. કેગના અહેવાલને અસ્વીકારને અપણા શાશક કહે છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી અને એવું કોઈ મોટું નુકશાન થયું નથી.તો આવા સમયમાં વિપક્ષો સરકારના ઉચ્ચ હોદ્દેદારોનું રાજીનામું માંગે છે.વર્તમાન સમયે મૌન પર્યાય બનેલા મનમોહન પર ફરી એક વાર આગળી ચિંધવામાં આવે છે ત્યારે નિર્ણય સાથે નિરાકરણ માંગતી દેશની પ્રજાને વાસ્તવિકતા શું છે તે જાણવું છે. બાકી સત્તાના ભક્તોની કોઈ અચત નથી આપણે ત્યાં.સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ સોસાઈટી, ભૂ માફિયા રાજ, અને હવે સૌથી મોટું કોલસા કૌભાંડ જેનાથી સરકારના સમુહમાં સૌને ચિંતાનો કાળો દાગ લાગ્યો છે. ફેબ્રુઆરીમાં સ્પેક્ટ્રમ કૌભાંડથી રાજાએ દેશના પૈસાથી રાજ કર્યું.અને દેશની તિજોરીને ખુબ મોટી ખોટ ગઈ. એક તરફ ગરીબી બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓ વધતી જાય છે ત્યારે આવા કૌભાંડમાં કીચડથી દેશના પૈસાને લાંછન લાગે છે. કૌભાંડ કહાની સાથે જોડાયેલો ભ્રષ્ટાચાર તેના મૂળમાં છે. જેમાં સેનાધ્યક્ષ વી. કે. સિંહેએ વિવાદોના વાવાઝોડા માંથી પસાર થઈને કાયમી વિદાય સહન કરવી પડી.જેમાં તેને ૨.૭ મીલીયનની ઓફર હતી.આ તો પૈસાનો વહીવટ છે જેમાં "જી લાલચયે રહ ના જાયે." ખરેખર યોગ્ય લાઈન છે. આવા નાના મોટા બનાવોથી આવો કોઈ ફેર પડતો નથી પણ દેશના પૈસાનું પાણી થાય છે જેમાં કોઈ બે મત નથી.વધરે ઊંડાણમાં જોઈએ તો ૧૭ માર્ચના દિવસે સંસદમાં પૈસાથી ભરેલા થેલામાંથી કાળકળતી નોટો નીકળતા લોકોની નહિ પણ તંત્રની પણ આંખ ચાર થઇ ગઈ હતી,અને વિપક્ષે આરોપ મુક્યો હતો કે પૈસા આપીને સરકાર બચાવવામાં આવે છે. પણ પૈસા કરતા વાસ્તવિકતા આજે જુદી છે,આવા ખોટના કૌભાંડથી સરકાર અને સમગ્ર પૈસાનું આયોજન શું હતું અને શું સામે આવે છે? ત્યારે સરકાર એવું કહે કે કોઈ ખોટ થઇ નથી તો શું સાચું માની શકાય?. તો બીજી તરફ સત્તા પર રહેલા લોકોને મળતી ક્લીન ચીટથી એવું લાગે કે "દાળમાં કંઈક કાળું છે."
                  
આવા કેસની તપાસ માટે સમિતિ નીમ્ય અને ચર્ચાઓનો સિલસિલો શરુ થાય ત્યારે એક લાઈન જે અહી ખૂન અસર કરે છે તે કે "અબ પછતાયે હોગા ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત."જયારે કોઈ મોટી ઘટના સામે આવે ત્યારે બીજી બાજુ તેના પડઘા સંભળાય છે. આસામની હિંસાથી હજુ પણ આસામ ગરમી અને જ્વાળામાંથી બહાર નથી આવ્યું ત્યારે આ કેગના રીપોટથી દેશનો શાશક વર્ગ હચમચી ગયો છે. તો સામે વિપક્ષો રાજીનામાની માંગ કરે છે જયારે જરૂર આ રન્છોડવાની નથી પણ નિવેડો લાવવાની છે, જેનું કોઈ નામ લેતું નથી અને પોતાના ડીંડકથી સમગ્ર પ્રક્રિયાને ખલેલ પોહ્ચાડે છે.કૌભાંડોના વાષ્ટ વ્યુ વચ્ચે મૌન સરકાર કોઈ અસરકારક નિર્ણય લે તો સારું. અને કૌભાંડોના સડાને જેમ એ.એમ એસની લગામ ખેચીને કંટ્રોલ કર્યા એમ તેને અંકુશમાં લેવાની તાતી જરૂર છે. પણ ઓવરઓલ આસ્પેક્તથી જોઈએ તો સર્વત્ર કોઈ ને કોઈ સમસ્યાથી દેશ આજે ઘેરાયેલો છે. વચનોના મારાથી અને સતત વોટ વોટની અપીલ સંભાળીને દેશવાસીને દરેક યોજના પાચળ કોઈ વોટ ક્રિઅશન હોય તેવું લાગે છે જયારે સાચા સજેશનથી જ સખત આયોજનની આવશયકતા છે.તે પછી કોમન વેલ્થ હોય કે ખાણ કૌભાંડ હોય.અમલી કારણ અને આયોજનના અભાવે આ બધું સહન કરવું પડે છે.સામસામે લડવાના બદલે કોઈ સચોટ યોજનાથી પરિવર્તન થઇ શકે છે.દરેક મૌન પાછળ શું સમજવું એ પણ એક પ્રશ્ન છે.કૌભાંડની કથામાં નવા નવા કૌભાંડ સાથે સંકળાયેલી કેટલીય કંપનીઓ હજુ કાર્યરત છે.જેની સામે આંખ લાલ કરવાની જરૂર છે. પણ અપણા આઉધ્યોગિક વિકાસના લાભ તો દેશને આંશિક વિદેશને વધુ થતા હોય છે કારણ કે સરકારની આવક એટલે ટેક્ષ, કોઈ વીજ બીલ અને કોઈ માલ પરની ડ્યુટી, આવકવેરા વગેરે વગેરે. જેમાં ચોરી થાય જ છે. અને ચોક્કસ સમયના અંતે પકડાય પણ છે. પણ આ દુધના ઉભરા જેવું છે ધીમે ધીમે બધું સૌ સૌની ઠેકાણે ગોઠવાઈ જાય છે.કારણ કે "યે પૈસા બોલતા હે,યે પૈસા બોલતા હે." કંઈક નવી ક્રાંતિ થાય તે માટે સર્વત્ર એક નવી જાગૃતિની જરૂર છે. કોઈ એક દિશામાં જ નહિ પણ બધી રીતે.

ટેકનીકલ અને વિશ્વમાં નામ કરવા માટે દેશમાં અનેક પ્રયાસો થાય પણ કોઈ આ લીગલ ક્ષેત્રમાં આવવા નથી માગતું."રાજકારણમાં થોડું જવાઈ.!!" જયારે કોઈ યુવા લીડર દ્વારા કોઈ પરીવાર્તાની શરૂઆત થશે ત્યારે જ એક નવી દિશામાં દેશની ગતિ થશે. પણ આ પૂર્વે આપણી માટીને થોડી બદલવી પડશે. અન્યથા આવા કૌભાંડની કથા સમયાંતરે ગાવાનો વારો આવશે.
પ્લાનીગથી ચાલ્યું નહિ પણ હવે દોડવું પડશે. કારણ કે હવે તો આપણે વેઇટ એડ વોચથી તો ટેવાઈ ગયા છીએ. 
     

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...