Tuesday, August 15, 2017

કૃષ્ણ એટલે મિત્ર, માર્ગદર્શક અને સારથિ

કૃષ્ણ એટલે મિત્ર, માર્ગદર્શક અને સારથિ

                મહાભારતના યુધ્ધમાં સંવાદથી શક્તિ આપનારો ઇશ્વર એટલે કૃષ્ણ.રાણભૂમિમાં માત્ર અવાજ અને શબ્દોથી જોમ સાથે સાચું ઝનુન ચડાવી દે તેવી સત્યતા. કૃષ્ણ એટલે ગીતામાં ગુરુ, સુદામાના મિત્ર, યુઘિષ્ઠિરના માર્ગદર્શક અને અર્જૂનના સારથિ. યુધ્ધભૂમિ જેવી પરિસ્થિતિમાં શ્યામ જેવો સારથિ હોય અને ગીતાનું જ્ઞાન ધરાવતો હોય તો આપણા લોકો સામેની લડાઇ પણ જીતી શકાય. ગીતા એટલે કૃષ્ણએ સ્વયં કહેલી વાતનું કાવ્યમય સ્વરૂપ જ્યારે મહાભારત એટલે મહાકાવ્ય. કદાય મહાભારત ન થયું હોતો તો ગીતા જેવો પવિત્ર ગ્રંથ પણ ન મળ્યો હોત. ભગવાને પોતે શીખવેલા અઢાર પ્રકરણ એટલે ગીતાના અઢાર અધ્યાય. જેમાં જીવન કેમ જીવવું, શું કરવું અને શું ન કરવું છતા ન કરવાનું થાય તો કેવા પરિણામ આવે તેનો આખો ચિતાર પ્રભુએ વિચારોના થ્રીડી પ્રોજેક્ટર પર રજૂ કરેલો. એ વખતે કોઇ વન ટુ વન રૂમ ન હતા એટલે કૃષ્ણએ કુરુક્ષેત્રમાં જ શૂન્યમનસ્ક થયેલા અર્જૂનને ગીતા જ્ઞાન આપેલુ. કૃષ્ણ બે વ્યક્તિના એકદમ બેસ્ટ ફ્રેન્ડ રહ્યા. એક સુદામા અને બીજા અર્જૂન. દ્રૌપદીને સૌથી વધુ પ્રેમ અર્જૂન પ્રત્યે હતો પણ પ્રેમ કેમ કરાય તેનું લેસન દેવકીનંદને શીખવ્યું.


           કૃષ્ણ જીવનને સમજવા કરતા તેની લીલામાંથી નીકળતા મોરલની સ્વીકૃતિ મહત્વની છે. બાળપણમાં સુદામા સાથેની દોસ્તી દર વર્ષે ઉજવાતા ફ્રેન્ડશીપ ડેના દિવસે માથે મારવામાં આવે છે. પરંતુ, કૃષ્ણ તો એક એવો મિત્ર છે જેને કશુંક કહ્યા વગર પણ તે પાંપણના પલકારામાં પરિસ્થિતિને પારખી જાય. જેની પાસે શબ્દો ગોઠવવાની નહીં પણ સીધું કહેવાની વાત છે. કૃષ્ણને સારા મિત્રની સાથોસાથ સ્પષ્ટ વક્તા કહી શકાય. ગીતાના સાતસો શ્ર્લોક કોઇ પણ પ્રકારના ફંબલ વીના કહી દે, એ પણ દુનિયાના ગમે તે માણસને સરળતાથી સમજાય જાય. એક સાથે સાતસો શ્ર્લોક અને મહાભારતમાં યોધ્ધા ન હોવા થતા એક યુનિવર્સલ ગોડ. મિત્ર એટલે હરખના હૈયા જોઇને હેત કરે એ. પણ અત્યારે મિત્રના હરખ જોઇને ક્યાંકથી વિખવાદનો વરખ મૂકને ખસી જનારાને કૃષ્ણ જેવો મિત્ર ક્યાંથી મળે? કાનાની મિત્રતા માટે સુદામાના જીવનનું દસ ટકા દુખ પણ આપણને પચે એમ નથી. ભીમના એગ્રેસિવ સ્વભાવના કારણે યુધિષ્ઠિર અને ભીમ વચ્ચે તણખા ઝરેલા ત્યારે કૃષ્ણએ યાદ અપાવેલું કે, અંતે તો ભીમ તમારો જ ભાઇ છે. સંબંધમાં સેતુ અને નિસ્વાર્થી હેતુનો અહેસાસ કરાવે એ કૃષ્ણ.

       ગ્રેટ ગોડ અને ગ્લેમર ગોવાળિયો ગોપીઓ સાથે ફ્રેન્ડશીપ કરે સામેથી કેટલીયે ગોપીઓનો લવ મેળવે. કળયુગમાં લસ્ટ (વાસના)ના વિચારે લવની શરૂઆત થાય છે અને પછી બ્રેક સંબંધમાં લાગે છે અને બદલો લેવાની ભાવના શેતાની દિમાંગમાં અપ થાય છે. મિત્રતા એટલે તમારા સ્વજનોને સાચવી રાખતો મણકો. મહાભારતમાં દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચેના સંવાદ ખૂબ ઓછા છે પરંતુ, એક સ્ત્રીના દિમાંગથી અનૂભુતિ કરીએ તો દ્રૌપદીને કેટલુ બધુ કહેવું હશે લાલાને? કોલેજકાળમાં ફાઇનલ સેમેસ્ટરના એસાઇમેન્ટના છેલ્લા દિવસે પોતાનું એસાઇમેન્ટ સબમિટ કરનારને આજની આધુનિક ગોપીઓ નથી ભૂલતી, જ્યારે કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી હતી. કદાચ આખી જિંદગી સોંપી દે અને થેંક્યું કાના, લવ યુ કાનાની માળા કરે તો પણ ઓછું પડે. કૃષ્ણની કહેલી વાતો, પ્રસંગો અને લીલાઓમાંથી એક વસ્તું તમામ પાસાઓમાં સામાન્ય છે એ છે સ્વયંશિસ્ત. કંસ પાપી હોવા છતા, જરાસંઘ બાહુબલીના ભલાલદેવો ક્રુર અને દુર્યોધન અત્યંત ડેરિંગવાળો હોવા છતા કૃષ્ણએ હાલે....ય એમ કરીને કોઇ તોછડાઇ કરી ન હતી. દુનિયાના તમામ દેવ-દેવતાઓને તમે કહેવાય છે પણ દ્વારકાવાળાને તો તું કહીને બોલાવીએ તો પણ એ સામે હંકારો આપે. જો નિખાલસતાના કાન હોય તો તે સંભળાય.


       કૃષ્ણ એમના સમયના બેસ્ટ મોટિવેશનલ સ્પીકર રહ્યા. ગીતાનું જ્ઞાન જ નહીં પણ એક આખી ફિલોસોફીની સ્થાપના કરી. નાના હતા ત્યારે પણ ગોવાળીયાઓના લીડર રહ્યા. વાણીમાં માઇન્ડ વોશ કરીને કે યુધ્ધમાંથી પલાયન થઇને પોતાના કર્મને પ્રાયોરિટી આપતા કૃષ્ણ પરમાત્માએ શીખવ્યું.
વાંસળી વગાડીને પણ કામ થાય અને સુદર્શન કાઢીને પણ કર્મ થાય. ટુંકમાં જેવી ટીમ એવી લીડરશીપ કરતા કૃષ્ણ પાસેથી શીખવાનું છે. પથદર્શક બનવામાં સૌ પ્રથમ સક્ષમતા અને પુર્ણતા જોઇએ. કૃષ્ણ હંમેશા ધ કમપ્લિટમેન રહ્યા. એ પછી રુકમણી સાથે હોય કે રાધા સાથે. દુનિયામાં સરપ્રાઇઝ દેવાની શરૂઆત કેશવે કરી. રાધાજીને પોતાનામાં ચીપકાવીને નહીં પણ ચોંકાવીને પ્રેમની હુંફ આપી. આજના સમયમાં બધા સ્પર્શ વગર અધુરપ અનુભવે છે. ભક્તની ચિંતા જ્યારે જ્યારે રુકમણીને થઇ ત્યારે અનેક વખત દેવી અધીરા થઇને રણછોડરાય પાસે નીવડો લાવવા આવેલા. પરંતુ, સમયની રાહ જોવાનું અને કર્મના બધંનની વાત કહેનારા વાસુદેવ કાયમ પ્રયત્ન સામે પરિણામની છબી દેખાડતા.

       ડખો ત્યાં છે કે, આપણે પ્રયત્ન પોટલી જેટલો કરવો છે અને પરિણામ પિરામીડ જેવડું જોઇએ. વિશાળાતા દરિયા જેવી જોઇએ છે અને ખારાશ પચાવવા પેરશુટ પહેરવા છે. આવી સ્થિતિમાં લક્ષ્યરૂપી મોતી મધદરિયે પણ ન મળે એટલે આપણે નસીબ અને નંદજીના લાલને દોષ દઇએ છીએ. હવે કૃષ્ણને સારથિ બનાવવા ગમે ત્યાં લડી લેવાની તૈયારી અનિવાર્ય છે. સાલુ લોચો ત્યાં છે કે, આપણે તો બોડાણાના ગાડામાં પણ સીટ બેલ્ટ શોધીએ છીએ. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સ્માર્ટ ડ્રાઇવર હોય અને ઓછા સમયમાં પહોંચવાનું હોય ત્યારે શોર્ટકટ સ્વાભાવિક છે. પણ બોડાણાના પાઇલોટના સહારે જીવનનું પ્લેન મૂકીએ તો એ ક્રેશ લેડિંગ તો નહીં જ થવા દે. ક્યારેક લક્ષ્ય સુધી પહોંચાડવામાં મોડું કરશે કારણે આ તો મૂડી ભગવાન છે. પણ એના ભરોસે નૈયા પાર થશે અને જીવનની પરીક્ષા પાસ પણ થશે. કેરિયરની કોઇ પણ ફિલ્ડમાં કૃષ્ણ જેવો સારથિ હોવો જોઇએ તો જ સાચા યોધ્ધાની પરખ થાય. ઠોકર ખાવાથી મજબુતી આવે પણ બળજબરી કરવાની બુધ્ધી ન આવે. ક્રાતિવીર કૃષ્ણને કાયમ પોતીકા પ્રભુ કહી શકાય. ગીતાના સર્જકે કહેલો અર્જૂન વિષાદયોગ જીવનની દરેક સ્થિતિને સમજવામાં મદદરૂપ જ નહી પણ અમલીકરણ રૂપ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. જ્ઞાની સારથી કાયમ તમારું ભલુ કરવાનો કારણે એમને પણ પરિવાર હોય ને?


આઉટ ઓફ બોક્સ
શું ન કરવું એ તો બધા કહે છે. પણ શું કરવું એ એક માત્ર કૃષ્ણ કહે છે ગીતાજીમાં.


No comments:

Post a Comment

ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

 ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ         દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાં...