Showing posts with label દેશનું અનોખું મંચ મંદિર.. Show all posts
Showing posts with label દેશનું અનોખું મંચ મંદિર.. Show all posts

Tuesday, March 06, 2018

દેશનું અનોખું મંચ મંદિર.

દેશનું અનોખું મંચ મંદિર.

     ભારત એક આધ્યામિક દેશ છે. રાજકારણમાં ધર્મ અને ધર્મનું રાજકારણ એવા મુદ્દાઓને થોડા સમય માટે બાજૂએ મૂકને વિચારીએ તો આ દેશમાં એટલું વૈવિધ્ય છે કે ન પૂછો વાત. જ્યારે પણ વાત મંદિરની વાતે ત્યારે દરેકને પોતાની એક અનોખી યાત્રા આંખ સામે તરવરવા લાગે. એ પછી હરિદ્વારની હરપૌડી હોય કે અમરનાથની અદ્દભૂત યાત્રા. રામેશ્વરનો રોમાંચ હોય કે વૃંદાવનમાં વ્હાલપ્રેમીને નમન. દેશના કોઇ પણ મંદિર સાથે તેનો એક ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ક્યાંક કોઇ રાજવીનું પ્રદાન છે તો ક્યાંક કોઇ દેવીની શૌર્યાગાથા. ક્યાંક માનતાનો મહાન વારસો છે તો ક્યાંક આસ્થાની અનુભૂતિ. માત્ર મંદિરના ઘાટ, આકાર કે રંગ જ નહીં કુદરતના મુખારવિંદમાં પણ એક વેરિએશન હોય છે.

       દરેક મંદિરનો પ્રસાદ બીજા કરતા જૂદો હોવાનો. દેશનું લીલુછમ રાજ્ય એટલે કેરળ. જ્યાં નાળિયેરી અને બીચનો સંગમ, નાના-નાના બીગચા અને વિશાળ ઉપવન. જ્યાં દરેક મંદિરમાં પાંદડાથી પૂજા થાય છે. દિવો પણ માટીનો તૈયાર કરવામાં આવે છે. જેમ આપણે ત્યાં દરેક થાળીમાં કંકુ કે ચંદન ફરજિયાત હોય છે તેમ ત્યાં પીળા ફૂલ અને સફેદ ફૂલ કમ્પલસરી છે. આવું જ એક અનોખું મંદિર એટલે મંચ ટેમ્પલ. બોલ તો મંચ મંદિર. આવું સાભળી કે વાંચીને વિચાર આવે કે, મંચ મંદિર એટલે શું તે કોઇ સ્ટેજ પર આવેલું હશે? જી ના, મંચ એટલે કેટબરીની મંચ જે બાળકો જ નહીં મોટેરાઓ અને વૃદ્ધોને પણ ખૂબ પ્રિય હોય છે.

     જોઇએ આ મંદિરની એક અનોખી કહાણી જ્યાં પ્રસાદમાં કોઇ દહી, કે દૂધ નહી પણ કેટબરી મંચ મળે છે. એ પણ એક કે બે નહીં પરંતુ જેટલી જોઇએ એટલી. તો ચલો બાલા મુર્ગન મંચ મંદિરની સફરે...જેમ કૃષ્ણને માખણ ભાવે છે, અયપ્પા પ્રભુને ઘી ભાવે છે, શિવજીને ખીર ભાવે છે પરંતુ, શિવના દીકરા એટલે કે બાલામુર્ગન સ્વામીને મંચ પસંદ છે. કેરળના અલાપૂઝામાં ભગવાન ચોકલેટ ખાય છે. એ બાળકે પણ મારી જેમ વિચાર્યુ હશે કે, લાલો માખણ ખાઇને કંટાળ્યો હશે અને ગણપતિને પણ કોક દિવસ લાડું સિવાઇની મીઠાઇ ખાવાનું મન થયું હશે. બસ પછી તો ચીલો પડી ગયો. અને બાલામુર્ગન સ્વામી મંચ મુર્ગનથી પોપ્યુલર બન્યા.

    કેરળના આ મંદિરનું નામ સુબ્રમણ્યિમ મંદિર છે. વર્ષએ પહેલા જ્યારે નાના બાળકે ભગવાનને ચોકલેટ ખવડાવવાનો નિર્ણય કર્યો હશે. પરંતુ પછીથી આધુનિક આવિષ્કારના ફળરૂપે ચોકલેટ મંચ પ્રસાદ તરીકે ચડાવવાનો ભક્તોએ સ્વયં નિર્ણય કર્યો. જે મંદિર ટ્રસ્ટને પણ માન્ય રહ્યો. ખાસ વાત એ છે કે, કોમના નામથી વાતાવરણની શાંતિને ડહોળવાનો પ્રયાસ થાય છે ત્યારે અહીં એ મુસ્લિમ બાળકે મંદિરમાં પ્રથમ વખત ચોકલેટનો પ્રસાદ પ્રભુને અર્પણ કર્યો. અન્ય પણ એક વાત છે કે, એ બાળક મંદિરમાં સતત ઘંટ વગાડતો હતો. પિતાએ ઠપકો આપતા બાળક ભયભીત થયો અને માંદો પડ્યો. માતાએ માનતા માની અને પ્રભુને ઘીને પ્રસાદ અર્પણ કર્યો પણ બાળકે પોતાના પાસે રહેલી ચોકલેટ પ્રભુને ખવડાવી. છોકરાની માંદગી કાયમ માટે જતી રહી.

      બસ, આ દિવસથી મંચ મંદિરમાં દિવસ રાત મંચનો પ્રસાદ ચડે છે. એટલું નહીં જ્યારે કોઇને ત્યાં નવજાત શિશુનો જન્મ થાય છે ત્યારે અહીં બાળકને નવજાત શિશુની ત્રાજવામાં તોલી મોટી સંખ્યામાં મંચના પેકેટ્સ સ્થાનિકોને વગર પૈસા વહેચવામાં આવે છે. આ ઉપરાંત જેટલા કિલોનું બાળક જન્મે એટલા કિલો મંચના પેકેટ અહીં ચડાવવામાં આવે છે. બાલામુર્ગન મંદિર કેરળના મોટાભાગના બાળકોનું ફેવરિટ મંદિર છે. જ્યાં દર્શન કે પૂજા કર્યા બાદ ખોબા ભરીને ચોકલેટ મળે છે. જાણીને નવાઇ લાગશે કે, માત્ર પ્રસાદરૂપે દરરોજના 1500 બોક્સ મંચનું વિતરણ થાય છે. આ ઉપરાંત આસપાસના સ્થાનિક વેપારીઓ કહે છે કે, દરરોજ 3,000થી વધારે બોક્સનું વેચાણ થાય છે. દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારમાં મંચનું એડવાન્સ બુકિંગ થાય છે. અહીની બજારમાં અન્ય ચીજ વસ્તુ મળે કે ન મળે, પાંચવાળી મંચથી લઇને બોક્સ સાઇઝ સુધીની મંચ ગમે ત્યારે ગમે તે દિવસે મળી રહે છે.

આઉટ ઓફ ધ બોક્સ
દ્વારકા મંદિરમાં આવેલું શિવ મંદિર કદાચ દુનિયાનું એક માત્ર એવું મંદિર છે જેમાં શિવજીનો પોઠિયો (નંદી) નથી.



જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...